વાયરસને કારણે ગુજરાતી પરિવાર ઇરાનમાં ફસાયો: “જમવા માટે પણ પૈસા નથી, આવી રીતે જીવીએ છીએ” જાણો વિગતે

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ઇરાનમાં પણ દસ્તક આપી દીધી છે. ઇરાનના તહેરાન શહેરમાં મુંબઇનો ગુજરાતી જૈન પરિવાર ફસાયો છે. આ અંગે પરિવારના કેરવીન શાહ નામના યુવાને ત્યાં પડતી મુશ્કેલીને લઇને મોબાઇલમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. આ વિડીયોમાં યુવાન ભારત સરકારને વિનંતી કરી રહ્યો છે કે, ગમે તે થાય પણ અહીંથી અમને છોડાવો. તહેરાનમાં ઇન્ડિયન એમ્બેસી તેની કોઇ મદદ કરતી નથી તેવા આક્ષેપો કર્યા છે. વીડિયોમાં કેરવીન બોલે છે કે, હવે તો અમારી પાસે ભોજનના પણ પૈસા નથી. અમે વેજીટેરીયન છીએ એટલે હાલ ફ્રૂટ અને શાકભાજી પર અમે જીવી રહ્યા છીએ.

6 દિવસથી રોજ ત્રણ ત્રણ કલાક આવી વિનંતી કરૂ છું કે સર મારા માટે કંઇક કરો

કેરવીન શાહે વધુમાં કહ્યું હતું કે, હું કેરવીન શાહ ઇરાનના તહેરાનમાં છું, હું છેલ્લા 20 દિવસથી તહેરાનમાં છું. અહીં ઇન્ડિયન એમ્બેસી છે અને તેના અધિકારીઓ છે. તેઓ છેલ્લા 10 દિવસથી કહે છે કે, અમે તમારા માટે કંઇક કરીશું, ઇમેલથી સંપર્કમાં રહેજો. તેની જે પણ કંઇ પ્રોસેસ છે તે મેં કરી દીધી હોવા છતાં પણ કોઇ એક્શન લીધો નથી. આ લોકો કહી રહ્યા છે કે કોર્મશિયલ એરલાઇન્સ ચાલુ કરીશું. હું છેલ્લા 6 દિવસથી અહીં રોજ ત્રણ ત્રણ કલાક આવું છું અને વિનંતી કરૂ છું કે સર મારા માટે કંઇક કરો. મારા મમ્મી-પપ્પા કે જેની ઉંમર 62 આસપાસ છે પણ આ લોકો ઇચ્છી રહ્યા છે કે, તેમને કોરોના વાઇરસ ન થાય ત્યાં સુધી લઇ જવા માગતા નથી.

ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ સમજે છે કે ભારતીય કમજોર છે

કેરવીન શાહે વધુમાં જણાવ્યું હતું કે, 21 દિવસ પછી પણ હું અહીં ધક્કા ખાવ છું. પરંતુ અધિકારીઓ કહે છે કે, આજ કરીશું, કાલ કરીશું તેવા જ જવાબ આપી રહ્યા છે. માત્ર વાયદાઓ જ આપી રહ્યા છે. ઓલ ઓવર વર્લ્ડની બધી જ ફ્લાઇટ શરૂ થઇ ગઇ છે. માત્ર ભારતની જ ફ્લાઇટ ચાલુ નથી થઇ કારણ કે તે લોકો સમજે છે કે ભારતીય કમજોર છે. અમારી પાસે હાલ ભોજનના પણ પૈસા નથી. અમે વેજીટેરીયન છીએ. અહીં બધુ નોનવેજ જ મળે છે. ફ્રૂટ અને વેજીટેબલ પર અમે જીવી રહ્યા છીએ. હું હાથ જોડીને વિદેશ મંત્રી અને વડાપ્રધાનને વિનંતી કરૂ છું કે, આર્મીનું પ્લેન મોકલો, અમારા માટે એક પણ ફ્લાઇટ નથી. બસ એમ જ કહેવામાં આવશે કે રાહ જુઓ પણ રાહ જોવા માટે અમારી પાસે કંઇ નથી. અમીત શાહ, નરેન્દ્ર મોદીને વિનંતી કરૂ છું કે અમારા માટે કંઇક કરો. પછી કંઇ થાય તો ઇન્ડિયન એમ્બેસી તહેરાન જવાબદાર ગણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *