માતાનાં નિસ્વાર્થ પ્રેમને કલંક લગાડતો કિસ્સો: પોતાના જ ત્રણ-ચાર મહિના બાળકને મંદિરના પગથિયા ઉપર તરછોડી દીધું

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી જન્મ પછી બાળકોને તરછોડી દેવાની ઘટના સામે આવી છે. કુલ 2 દિવસ…

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી જન્મ પછી બાળકોને તરછોડી દેવાની ઘટના સામે આવી છે. કુલ 2 દિવસ અગાઉ શહેરના ગોડાદરા વિસ્તારમાં બાળકને કોઈ જનેતા તરછોડીને ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી રહી છે.

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે નવજાત જન્મેલા બાળકને ગમે ત્યાં મુકીને ભાગી જતાં હોય છે. આ દરમિયાન હજી એક એવો કેસ સામે આવી રહ્યો છે જેમાં કાંકણોલ સ્વામીનારાયણ મંદિરના પગથિયેથી એક બાળક મળી આવ્યું છે. ગુરુવારે સાંજે હિંમતનગરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિરના પગથિયા પર ત્રણ ચાર મહીનાનું બાળક મળતાં હોબાળો મચી ગયો છે.

108ના ડિસ્ટ્રિકટ મેનેજર જયમીનભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, સાંજે 7:23 વાગ્યે ગાંભોઈ 108ને ફોન આવ્યો હતો અને કાંકણોલ સ્વામિનારાયણ મંદિરના પગથીયા પરથી કોઈ બાળક મળી આવ્યાના સમાચાર મળ્યા હતાં.

108ના કર્મીઓએ ત્યાં જઈને જોયું તો કોઈક 3-4 મહિનાનું બાળક સ્વામિનારાયણ મંદિરના અંદરના પગથિયાં પર મૂકીને ચાલ્યું ગયું હતું. 108ના સ્ટાફ દિલીપભાઈ પરમાર અને કમલેશભાઈ દ્વારા તાત્કાલિક બાળકને પ્રાથમિક સારવાર માટે નજીકની હિંમતનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યું હતું. આ બાળક કપડામાં વીંટાળીને કોઈક મંદિરના પગથિયે મૂકીને જતું રહ્યું હતું. હાલ એ સ્વસ્થ હાલતમાં સિવિલમાં પીઆઇસીયુ વોર્ડમાં દાખલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *