સુરતના કતારગામમાં દાનવ પતિની હેવાનિયતનો શિકાર બની પરણીતા- સાવ નજીવી વાતે પત્નીને જીવતી સળગાવી દીધી

સુરત (Surat): ગુજરાત (Gujarat) રાજયમાં આવેલા સુરત શહેર માંથી વધુ એક ઘરકંકાસમાં હત્યાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં આવેલા કતારગામ વિસ્તારની આ ઘટના છે.…

સુરત (Surat): ગુજરાત (Gujarat) રાજયમાં આવેલા સુરત શહેર માંથી વધુ એક ઘરકંકાસમાં હત્યાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં આવેલા કતારગામ વિસ્તારની આ ઘટના છે. કતારગામ (Katargam) વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારે પતિએ આવેશમાં આવીને પર કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી.

પત્ની કાજલને અર્ધબળેલી હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. હોસ્પિટલમાં નજીવી સારવાર દરમિયાન કાજલનું કરુણ મોત થયું હતું. ત્યાર બાદ સમગ્ર ઘટનાની જાણ પોલસને કરવામાં અવી હતી અને પોલસને ઘટનાની જાણ થતા તરતજ ઘટના સ્થળે દોડી અવી હતી. પોલીસે હરકતમાં આવીને પતિને સકંજામાં લઇ લીધો છે.

પતિ-પત્ની વચ્ચે અશ્લીલ વીડિયોને કારણે ઝઘડો થયો હતો. કતારગામ વિસ્તારની ધ્રુવતારક સોસાયટી માંથી આ ઘટના સામે અવી છે. ઝઘડામાં પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટીને આગળ લગાવી દીધી હતી. ઝઘડાની રાત્રે પતિ-પત્નીએ આઇસક્રીમ ખાધો હતો. સવારે ઝઘડો થતાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી.

ત્યાર બાદ પોલસે પતી સાથે પ્રાથમિક પુછપરછ કરી અને ત્યારે જાણવા મળ્યું કે, આ કૃત્ય પતિએ પારિવારીક ઝઘડામાં કર્યું હતું પતિએ એ વાત કાબુલી છે. ત્યાર બાદ પોલીસે પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *