અ’વાદમાં થઇ સુરત તક્ષશિલા વાળી… યુવતી સળગતી રહી પરંતુ ફાયર વિભાગની સીડી જ ના ખૂલી- દીકરીના મોતનું જવાબદાર કોણ?

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના શાહીબાગ(Shahibaug) વિસ્તારમાં ગિરધરનગર સર્કલ(Girdharnagar Circle) નજીક ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આવેલા મકાનમાં ભીષણ આગ(Building fire) ફાટી નીકળી હતી. મકાનમાં લાગેલી આગને લીધે…

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના શાહીબાગ(Shahibaug) વિસ્તારમાં ગિરધરનગર સર્કલ(Girdharnagar Circle) નજીક ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આવેલા મકાનમાં ભીષણ આગ(Building fire) ફાટી નીકળી હતી. મકાનમાં લાગેલી આગને લીધે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર, ઘરમાં રહેલા પાંચ સભ્યમાંથી ચાર લોકોને બહાર નીકળવામાં સફળતા મળી હતી, જ્યારે એક કિશોરી અંદર ફસાઈ જવા પામી હતી. ત્યાર બાદ ફસાયેલી 15 વર્ષીય કિશોરીને ફાયરબ્રિગેડની ટીમે જીવિત હાલતમાં બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું ગંભીર રીતે દાઝી જવાથી દર્દનાક મોત નીપજ્યું હતું. ત્યારે હવે આ આગ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવતા કહ્યું હતું કે ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો, પરંતુ ગ્રાઉન્ડફ્લોરથી ફુવારો મારવામાં આવતા પાંચમા માળ સુધી જ પાણી પહોંચતું હતું, જેથી મેં ફાયરના સ્ટાફને સીડી(સ્નોરકેલ) ખોલવા કહ્યું હતું, પરંતુ તેમની સીડી કોઈ રીતે ખુલી જ નહોતી. વધુમાં પ્રત્યક્ષદર્શીએ જણાવતા કહ્યું કે, મારી સાથે આવો, બાજુના બિલ્ડિંગમાંથી પાણી નાખો. હું તેમને બાજુના બિલ્ડિંગમાં લઈ ગયો અને તેમની સાથે પાણી નખાવ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં તો પ્રાંજલ બેભાન થઈ ગઈ હતી અને આગને કારણે ખૂબ જ દાઝી ગઈ હતી. ફાયરબ્રિગેડનું પાણી સમયસર 7મા માળે પહોંચ્યું હોત તો છોકરીનો જીવ બચી જાત.

અમદાવાદ પશ્ચિમના ચીફ ફાયર ઓફિસર જયેશ ખરાડીએ જણાવતા કહ્યું હતું કે, ફાયરની ટીમ પહોંચી ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેમ છતાં ફાયરની ટીમ ફ્લેટની હોઝરીલનો પણ આગ બુઝાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સીડી ખૂલી નહીં એ વાત ખોટી છે અને સીડી ખુલ્લી જ ગઈ હતી. લોકો તો બોલ્યા કરે, પણ તેમને કાંઈ ટેક્નિકલ બાબતોની ખબર નથી હોતી. અમે તો આઠમા માળેથી એક ફાયર ફાઈટરને નીચે સાતમા માળે ઉતારવામાં આવ્યો હતો.

વધુમાં ઉમેરતા કહ્યું કે, કમનસીબે ફાયરની ટીમ પહોંચી એ સમયે બાળકી બેભાન અવસ્થામાં મળી આવી હતી. ફાયરની ટીમે આગ બુઝાવવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ તો સાતમો માળ હતો, બાકી 25 માળના બિલ્ડિંગમાં આગ લાગે તોપણ ફાયરની ટીમ પાસે અધ્યતન ટેકનોલોજીનાં સાધનો છે, જેના વડે આગ સરળતાથી ઓલવી શકાય છે.

હવે ચીફ ફાયર ઓફિસરની દલીલ છે કે સીડી ખૂલી જ હતી અને કોઈ પણ પ્રકારનો ટેક્નિકલ ફોલ્ટ એમાં આવ્યો નહોતો. જો સીડી ખૂલી જ હોત તો ઓર્ચિડ ગ્રીન ફ્લેટના 7મા માળે લાગેલી આગને ઓલવવા એનો ઉપયોગ શા માટે કરવામાં ન આવ્યો? શા માટે ફાયર વિભાગ દ્વારા નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર જ ઊભા રહીને ફુવારો ચલાવવામાં આવ્યો અને ત્યાંથી જ આગ ઓલવવાના તમામ પ્રયત્ન કરવામાં આવ્યા છે. શા માટે તેમણે સીડી વડે સૌથી પહેલા પ્રાંજલને રેસ્ક્યૂ ના કરવામાં આવી? ત્યારે આવા પ્રશ્નોના ફાયર વિભાગ પાસે કોઈ પણ જવાબ નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *