વડોદરા પાસે કપાસ ભરેલી આઇસર ભડભડ સળગી ઉઠયું: ખેડૂતને આગથી મોટું નુકસાન; ડ્રાઇવર-ક્લીનર…

Vadodara News: વડોદરાના કરજણના સનાપુરા ગામ પાસે કપાસની ગાંસડીનો મોટો જથ્થો ભરીને કરજણ પાસે આવેલ નારેશ્વરથી પાલેજ તરફ જતા ટ્રકમાં અચાનક આગ લાગી હોવાનો બનાવ…

Vadodara News: વડોદરાના કરજણના સનાપુરા ગામ પાસે કપાસની ગાંસડીનો મોટો જથ્થો ભરીને કરજણ પાસે આવેલ નારેશ્વરથી પાલેજ તરફ જતા ટ્રકમાં અચાનક આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો.આગની બનેલી આ ઘટનામાં કપાસની ગાંસડીના જથ્થા સાથે ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી.ત્યારે આ ઘટના અંગે ફાયરવિભાગની ટીમને(Vadodara News) જાણ થતા ફાયરનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. જો કે કોઈ જાનહાની નહીં થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.પરંતુ ખેડૂતનો તૈયાર માલ આગમાં બળીને ખાખ થતા મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

કપાસ ભરેલા આઇસરમાં આગ
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર કરજણ પાસે આવેલ નારેશ્વરથી પાલેજ તરફ જતા વચ્ચે સનાપુરા ગામના પાટિયા પાસે કપાસ ભરીને જતા આઇસર ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી.જે બાદ ડ્રાયવર અને ક્લીનરે સમય સુચકતા વાપરી ટ્રકની નીચે ઉતરી ગયા હતા.જેથી તેનો બચાવ થયો છે.પરંતુ જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.જે બાદ ફાયરનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

ખેડૂતને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો
આ આગની ઘટનામાં આકાશમાં ઉંચે સુધી ધુમાડાના ગોટેગોટા ફેલાતા જોવા મળ્યા હતાં.તેમજ કપાસથી ટ્રક ભરેલ હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કપાસ અને ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી.કરજણ ફાયર વિભાગના ફાયર ફાઈટરોએ આઇસર ટ્રકમા લાગેલી આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. આ વાહનમાં કપાસ હોવાથી તે ઝડપી આગ પકડી લેતા લગભગ 30 મિનિટથી વધુ સમય બાદ આગ કાબુમાં આવી હતી. જો કે, ખેડૂતનો જે કઈ કપાસ હતો, તે સંપૂર્ણ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આ આગના બનાવને લઇ ખેડૂતે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ડ્રાયવર અને ક્લીનરનો આબાદ બચાવ
આગમાં લાખો રૂપિયાના કપાસ સહિત ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. તો બીજી તરફ સદનસીબે ડ્રાયવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો, ત્યારે હાલ તો ટ્રકની જાળીમાં હિટ પકડાવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.તેમજ અકારો ઉનાળો થશે તેમ ફાયરના કોલમાં સતત અધરો જોવા મળશે. ત્યારે કોઈ પણ સામાન્ય બેદરકારી મોટું રૂપ ધારણ કરે તે પૂર્વે લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે.