યુવકની હત્યા કરીને લાશ બોક્સમાં પેક કરીને મૂકી દીધી- પોલીસ પણ જોઇને ચોંકી ગઈ

આજકાલ વધતી હત્યાની ઘટનાઓમાં રાજકોટ શહેરમાં એક જ દિવસમાં ત્રણ ત્રણ જગ્યાએ લાશ મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરના જીલ્લા ગાર્ડન તેમજ જામટાવર…

આજકાલ વધતી હત્યાની ઘટનાઓમાં રાજકોટ શહેરમાં એક જ દિવસમાં ત્રણ ત્રણ જગ્યાએ લાશ મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરના જીલ્લા ગાર્ડન તેમજ જામટાવર વિસ્તારમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા મૃતકના વાલીવારસોની શોધખોળ તેમજ મૃત્યુના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને મૃતકના માથા તેમજ મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચી હોવાના નિશાન જોવા મળ્યા હતા.

જાણવા મળ્યું છે કે, શહેરની ભાગોળે ગોંડલ રોડ ચોકડી પાસેના રિદ્ધિ-સિદ્ધિ નાલા પાસેથી લોહીના ડાઘવાળું પિન મારીને પેક કરેલું એક મોટું બોક્સ મળી આવ્યું હતું. આ બોકસ ખોલતાં જ અંદરથી છરીના ઘા ઝીંકાયેલી યુવકની લાશ મળી આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી. યુવકને સાતથી વધુ છરીના ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસ દ્વારા તપાસ કરતાં મૃતક ગોકુલધામ વિસ્તારનો બૂટલેગર સંજય રાજુ સોલંકી (ઉં.વ.37) હોવાનું ખૂલ્યું હતું. બૂટલેગરને ક્રૂરતાથી ઠંડા કલેજે રહેંસી નાખી લાશને એક ગિફ્ટ બોક્સમાં પેક કરવામાં આવે એ રીતે પેક કરવામાં આવી હતી. હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકાએ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, સંજય સોલંકીને છરીના તેમજ બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દેવામાં આવ્યો હતો. મૃતકના જમણા હાથમાં ચાંદીની લક્કી અને એક બાળકનું ટેટૂં બનાવાયેલું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. સંજયના એક વર્ષ પહેલાં જ છૂટાછેડા થઈ ગયા હોવાનું પોલીસસૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

દેવાનંદભાઈ નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેમના મિત્ર કૃણાલ દ્વારા તેમના મોબાઈલમાંથી પોલીસને આ શંકાસ્પદ બોક્સ અંગે જાણ કરવામાં આવી હતી. કૃણાલ ત્યાંથી પસાર થતો હતો ત્યારે રસ્તાની બાજુમાં એક મોટું બોકસ તેની નજરે ચડ્યું હતું. બોકસ પર લોહીના ડાઘ દેખાતાં તેણે નજીક જઈને જોયું હતું. અને તે બોક્સ શંકાસ્પદ લાગતાં પોલીસને જાણ કરતાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.

આ અંગે જાણવા મળ્યું છે કે, સંજય સોલંકીની હત્યા કોઈ અન્ય સ્થળે કરી લાશ પૂલ પાસે ફેકી દેવામાં આવી હતી. પોલીસસૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, સંજયને છરી અને બોથડ પદાર્થના એટલા ઘા ઝીંકાયા છે કે હત્યારાઓ તેના પર તૂટી પડ્યાનું સ્પષ્ટ છે તેમજ હત્યા કર્યા બાદ હત્યારાઓ લાશ બોક્સમાં પેક કરી હતી અને એને કયાં ફેંકવું એેનો પ્લાન ઘડ્યો હતો. હત્યારાઓ ગુનાહિત કુંડળી ધરાવતા હોવાની પણ આશંકા પોલીસ દ્વારા વ્યકત કરવામાં આવી હતી. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *