ગોંડલના ગૌ પ્રેમી શરદભાઈએ બનાવી નંદનવન જેવી ગૌશાળા- પરિવારની જેમ કરે છે સેવા-ચાકરી

અમદાવાદ(ગુજરાત): અમદાવાદ(Ahmedabad)ની એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ(LD Engineering College)માંથી સિવિલમાં માસ્ટર્સ કર્યા બાદ, શરદભાઈ ગજેરા(Sharadbhai Gajera)એ રાજકોટ(Rajkot)માં 8 વર્ષ સુધી પ્રોફેસર તરીકે કામ કર્યું પરંતુ તેઓ હંમેશા ગૌસેવા…

અમદાવાદ(ગુજરાત): અમદાવાદ(Ahmedabad)ની એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ(LD Engineering College)માંથી સિવિલમાં માસ્ટર્સ કર્યા બાદ, શરદભાઈ ગજેરા(Sharadbhai Gajera)એ રાજકોટ(Rajkot)માં 8 વર્ષ સુધી પ્રોફેસર તરીકે કામ કર્યું પરંતુ તેઓ હંમેશા ગૌસેવા કરવા માંગતા હતા. શરદભાઇ ભણતા ત્યારથી જ તેમને વાંચનનો બહુ શોખ હતો. જેથી તેમણે વેદોની સાથે-સાથે વિજ્ઞાન અંગે પણ બહુ વાંચ્યું અને ગાય પ્રત્યેની તેમની દિલચસ્પી વધતી જ ગઈ.

તેમણે ગૌસેવાના ફાયદા, ગાયના દૂધના ફાયદા અને ગૌમૂત્ર તેમજ અન્ય વસ્તુઓના ફાયદા વિશે પણ જાણ્યું. આપણા સમાજમાં ગાયને માન છે પરંતુ જો તેની વાછરડી જન્મે તો લોકો તેને સાચવે. તો બીજી તરફ ગાય દૂધ આપે ત્યાં જ સુધી તેને રાખે પછી તેને કાઢી મૂકે, આ જોઇ શરદભાઇને બહુ દુ:ખ થતું.

આ સિવાય શરદભાઈના પિતાને ડાયાબિટીસ હતી, તેથી તેમના સ્વાસ્થ્ય માટે શરદભાઈએ ઘરમાં ગાય પાળી હતી. કામ કરતી વખતે, શરદભાઈએ નાના પાયે ગૌશાળા બનાવવાનું શરૂ કર્યું. તેણે બે ગાયોથી શરૂઆત કરી અને ધીમે ધીમે તેમાં વધારો કર્યો. ત્યારપછી જૂન 2019માં તેણે કોલેજમાંથી રાજીનામું આપ્યું અને હવે તે પોતાનો સંપૂર્ણ સમય ગૌશાળામાં આપી રહ્યા છે.

શરદભાઈના સસરા દામજીભાઈ શાળામાં નોકરી કરતા હતા અને હવે નિવૃત્તિ બાદ તેમનો સમગ્ર સમય ગૌશાળામાં વિતાવે છે. આ ઉપરાંત, શરદભાઈના પત્ની ઉર્વશી બેન પણ ગૌશાળાનું તમામ કામ જાતે જ કરે છે. તેમનો દીકરો પણ ગાય અને વાછરડાની ખૂબ કાળજી રાખે છે. ગાયોને દોવા માટે શરદભાઇએ એક ગોવાળ રાખ્યો છે.

શરદભાઈ 36 વર્ષના છે. આટલી નાની ઉંમરે યુવા એન્જીનીયરને ગાયની સેવામાં અદમ્ય રસ છે. હાલમાં ગોંડલમાં શરદભાઈની ગૌશાળામાં નાના-મોટા 36 ગીર ગાયો છે. આ અંગે શરદભાઈએ જણાવ્યું હતું કે, “અમારા ઘરના સભ્યોના નામની જેમ અમે ગાય અને વાછરડાને પણ તેમના નામથી ઓળખીએ છીએ અને બોલાવીએ છીએ. અને માયાથી બંધાયેલી ગાયો પણ તેનું નામ સાંભળે છે અને દોડી આવે છે. જ્યારે વાછરડાનો જન્મ થાય છે ત્યારે લોકો તેને બહાર મૂકી દે છે જ્યારે અમારી પાસે ગૌશાળામાં 11 વાછરડાં છે અને અમે તેમની સારી સંભાળ પણ લઈએ છીએ. અત્યાર સુધી અમારી પાસે એક ગાય અને એક વાછરડાનું કુદરતી રીતે મૃત્યુ થયું છે. પરંતુ, અમે તેને સન્માનપૂર્વક દફનાવી દીધા છે.

આ ઉપરાંત, તેઓ ગાય સંવર્ધન માટે સ્પેશિયલ એથનિક વેટરનરી સ્ટુડન્ટ પણ છે. ગાયને વાછરડું જન્મે તેના 7 દિવસ સુધી વાછરડા અને ગાયને સાથે જ રાખવામાં આવે છે. જેથી ગાયનું શરૂઆતનું ધાવણ માત્ર તેના વાછરડાને જ મળે. વિજ્ઞાન અનુસાર માતાનું દૂધ એટલું પૌષ્ટિક છે કે મોટા થયા પછી તેને માત્ર સૂકું ઘાસ મળે તો પણ ગાય સ્વસ્થ રહે છે. ત્યારબાદ ત્રણ મહિના સુધી ગાયના બે આંચળનું દૂધ તેના વાછરડાને જ આપવામાં આવે છે, જેથી વાછરડાનો પૂરતો શારીરિક વિકાસ થાય.

ગાયોના વિકાસ વિશે વાત કરતાં શરદભાઈએ જણાવ્યું હતું કે, “ગાયના પૌષ્ટિક દૂધ અને તેમના સારા સ્વાસ્થ્ય માટે ચૂનાનું પાણી, સિંધવ મીઠું અને ગોળ ખૂબ જ જરૂરી છે. એટલે અમે અઠવાડિયામાં એકવાર ગાયને ચૂનાનું પાણી અને ગોળ આપીએ છીએ. આ ઉપરાંત, સિંધવ મીઠાના ગાંગડા મૂક્યા છે એટલે ગાયને જ્યારે ઇચ્છા થાય ત્યારે ચાટી લે. આ સિવાય અમે ગાયને કાળી જીરી, અજમો, હળદર, ઈંદ્ર જવ વગેરે રોજ સવાર-સાંજ આપીએ છીએ. જેઠી મધ, અશ્વગંધા અને શતાવરી પાવડર પણ ખવડાવીએ છીએ.

આ ઉપરાંત શરદભાઈ ગાયના છાણમાંથી અગરબત્તી બનાવે છે, જે પ્રયોશા અગરબત્તી તરીકે ઓળખાય છે. આમાં લગભગ 30 પ્રકારની પ્રમાણિત હવન સામગ્રી અને ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. તેને બનાવતા પહેલા, તેણે બજારમાં ઉપલબ્ધ તમામ ધૂપ બત્તીનો અભ્યાસ કર્યો, રિસર્ચ પેપર વાંચ્યાં અને ઘણા લોકોને મળ્યા અને ત્યારબાદ લોકોને ફાયદો આપે એવી ધૂપબત્તી બનાવી. આ માટે શરદભાઈ આદિવાસી વિસ્તારમાં રહેતા વૃદ્ધ વૈદુઓને પણ મળ્યા હતા અને તેમની સલાહ લીધી હતી. તેઓ વૈધ મિત્રોની સલાહ પર ગૌમૂત્રનો અર્ક પણ બનાવે છે. અર્ક ત્રણ પ્રકારના હોય છે: સાદો અર્ક, તુલસીનો અર્ક અને ઠંડુ અર્ક.

શરદભાઈની આ ગૌશાળામાં ઘણા પ્રવાસીઓ પણ આવે છે અને અહીં આવ્યા પછી તેમનું મન ઉત્સાહિત થઈ જાય છે. શરદભાઈ ગૌશાળામાં ગાયોને બાંધીને રાખતા નથી. ગાયો મોકળા મને હરી-ફરી શકે છે. તેથી જ નજીકની શાળાના લોકો પણ તેમના બાળકો સાથે અહીં આવે છે અને તેમને કુદરતી સૌંદર્ય અને પ્રાણીપ્રેમના પાઠ શીખવે છે.

આ ઉપરાંત, શરદભાઈએ તેમના 16 એકરના ખેતરમાં સંપૂર્ણ જંગલનું વાવેતર કર્યું છે. જેમાં તેમની પાસે વડ, પીપળા, વાય વરણો, સીસમ, પુત્રી જીવી, ખેર, બહેડા, સીમડા, ગુંદા, કરમા, આંબા, જાસૂદ, પારિજાત વગેરે 60-70 વૃક્ષો છે. આ ઉપરાંત તેમણે 1400 દાડમ અને 1400 સરગવાના વૃક્ષો પણ વાવ્યા છે. તેઓ કોઈપણ રાસાયણિક ખાતર કે દવાઓનો ઉપયોગ કરતા નથી. માત્ર ખાતરનો ઉપયોગ થાય છે. શરદભાઈના કહેવા પ્રમાણે, એકવાર આ બધા વૃક્ષો ઉગી જશે પછી તેઓ ગાયોને અહીં ખુલ્લામાં ફરવા દેશે, જેથી તેઓને પણ વધુ જગ્યા મળી શકે.

આજકાલ, ખૂબ જ દુર્લભ પક્ષીઓ જેમ કે પાટલા ગો, નોટિયા, ઘુવડ, ધામણ વગેરે શિયાળામાં તેમની ગૌશાળાની આસપાસ રહે છે, જે ખેતરને નાના જંગલ જેવું બનાવે છે. રાજકોટ સ્પીપાના ડાયરેક્ટર શૈલેષભાઈ વેકરીયાએ તેમને ફોન કરીને આ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમના કામના કારણે સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ લોકોએ સરગવાનના વૃક્ષો પણ વાવ્યા.

ભવિષ્યમાં શરદભાઈ અહીં ગૌ કાફે સ્થાપવાનું વિચારી રહ્યા છે. જમીનથી 15 ફૂટ ઊંચે જંગલને નિહાળતાં-નિહાળતાં લોકો ગાયના દૂધની ચા પીય શકે. શરદભાઈના આ ગૌશાળાની વાર્ષિક આવક 10-12 લાખ જેટલી છે, પરંતુ તેમાંથી શરદભાઈ અડધા પૈસા માત્ર ગાયોને ખવડાવવામાં જ ખર્ચ કરે છે. જેથી તેમની ગૌશાળાની ગાયો એટલી તંદુરસ્ત અને મજબૂત રહે છે કે આવનારા લોકો જોતા જ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *