પ્રેમલગ્નનો ખૌફનાક અંત: રાજકોટની GRD યુવતીએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું- કારણ જાણી લાલ થઇ શકે આંખો

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા આપઘાતના કિસ્સાઓ દરમિયાન ફરીવાર રાજ્યમાંથી એક ચક્ચારો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટ(Rajkot)ના મોરબી રોડ(Morbi Road) પર વેલનાથપરા કૈલાસ પાર્ક(Velnathpara…

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા આપઘાતના કિસ્સાઓ દરમિયાન ફરીવાર રાજ્યમાંથી એક ચક્ચારો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટ(Rajkot)ના મોરબી રોડ(Morbi Road) પર વેલનાથપરા કૈલાસ પાર્ક(Velnathpara Kailas Park)માં પ્રેમ લગ્ન કરનાર GRD યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી છવાઈ છે. પતિ શંકા કરી હેરાન કરતો હોય કંટાળી જઇ તેણીએ આ પગલુ ભર્યું હોવાનું ખુલ્‍યુ છે.

મળતી માહિતી મુજબ, મોરબી રોડ વેલનાથપરા સામે કૈલાશપાર્ક શેરી નં. 2માં રહેતી આરતી કરણ સરસીયા (ઉવ.23)એ પોતાના ઘરે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. આરતીને લટકતી જોઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. કોઈએ 108ને જાણ કરતાં 108ની ટીમ ઈએમટી રમેશભાઈ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

બનાવની જાણ થતાં જ બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ પી.બી.ત્રાજિયા તથા હેડ કોન્સ. કે.સી.સોઢા સહિતના સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ કરવામાં આવી હતી. મૃતક આરતીના ભાઈ પાર્થ હરદેવપરી ગોસ્વામીની ફરિયાદ પર, સંત કબીર રોડ નજીક ગોકુલનગર હાઉસિંગ સ્કીમ ક્વાર્ટરમાં રહેતા કરણ મેરાભાઈ સરસિયા વિરુદ્ધ આઈપીસીની કલમ 498 (A), 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ અંગે ફરિયાદ કરતા મૃતક આરતીના ભાઈ પાર્થે જણાવ્યું છે કે, તે એચએન શુક્લા કોલેજમાં બી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેને છ બહેનો અને એક ભાઈ છે. આરતી છઠ્ઠા નંબરની બહેન હતી. પિતા હરદેવપરી ગોસ્વામી મંદિરમાં પૂજા કરે છે. આરતીએ તેની મરજીથી કરણ મેરામભાઇ સરસીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આરતી 11 માર્ચે અમારા ઘરેથી GRDમાં કામ પર જવા માટેનું કહીને નીકળી હતી. બાદમાં જ્યારે ઘરે પરત ન ફરી ત્યારે પરિવારના સભ્યોએ તેને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે, “હવે મને ફોન કરશો નહીં. હું કરણ સરસિયાને પ્રેમ કરું છું અને હું તેની સાથે રહેવા જઈ રહી છું.”

આ ઉપરાંત ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે. ત્યારબાદ મારી બહેન આરતી તેને અવારનવાર મળતી ત્યારે તે કહેતી કે, મારો પતિ કરણ મારી સાથે સારો વ્યવહાર કરતો નથી અને મને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. મને શાંતિથી જીવવા પણ દેતો નથી. GRDમાં નોકરી કરું તો મારા પર શંકા કરે છે અને ઘણીવાર માર પણ મારીને હેરાન કરે છે.

ત્યારે ગત રાત્રે આરતીની બહેનપણી કિરણનો ફોન આવ્યો ત્યારે તેણે કહ્યું કે, ‘તારી બહેન આરતી મોરબી રોડ કૈલાશપાર્ક શેરી નં. ૨માં મારા ઘરની સામે રહેતી હોવાથી તે ઘરમાં આરતીએ ગળાફાંસો ખાઇ લીધો છે’ તેમ કહેતા પોતે માતા અરૂણાબેનને વાત કરતા બંને તાતકાલીક કૈલાશ પાર્કમાં ગયા ત્‍યાં આરતી લટકતી હાલતમાં જોવા મળી હતી. જાણવા મળ્યું છે કે, પતિ કરણ સરસીયા અવારનવાર શંકા-કુશંકા કરી આરતીને શારીરીક માનસીક ત્રાસ આપતા આરતીએ આ પગલુ ભર્યું છે. હાલ આ અંગે પી.એસ.આઇ પી.બી.ત્રાજીયાઅ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *