સુરતમાં પ્રેમ પ્રકરણમાં ખેલાયો લોહિયાળ ઝંગ: પ્રેમિકાને પામવા પ્રેમીએ કર્યું એવું કારસ્તાન કે…

આજકાલ જયારે હત્યાની ઘટના સતત વધી રહી છે. સુરત માં પ્રેમ નો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમા એક પરિણિતાએ પોતાના પ્રેમીને પામવા માટે…

આજકાલ જયારે હત્યાની ઘટના સતત વધી રહી છે. સુરત માં પ્રેમ નો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમા એક પરિણિતાએ પોતાના પ્રેમીને પામવા માટે પ્રેમી સાથે મળીને પતિની હત્યનું કાવતરૂ રચ્યુ હતું. તાપીના સોનગઢના કપડબંધ ગામે લોહિલુહાણ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકની હત્યાને પગલે સોનગઢ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ પ્રેમિકાના પતિની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં હોબાળો મચી જવા પામ્યો છે.

સોનગઢ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનગઢ કપડબંધ ગામમાં નિશાળ ફળિયામાં રેહતાં 40 વર્ષિય મહેશભાઇ દુલ્યભાઈ ગામીત તા 5મે ના રોજ રાત્રીના 8 વાગ્યે તેમના પત્ની રંજીતાબેન ગામીતને ગીરાનદીના દેવદા ચેક ડેમ પાસે માછલી કડવા જવું છે, એમ કહી ઘરેથી નીકળ્યા હતા. બીજા દિવસે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ગાળાના ડાબી બાજુએ તથા જમણા ગાલ તેમજ ખભાના ભાગે અને જમણા હાથની આંગળીના ભાગે ઘાતક હથિયારના જીવલેણ ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ અંગે મહેશભાઈના પત્ની રંજીતાબેનએ સોનગઢ પોલીસને પોતાના પતિની હત્યા બાબતે ફરિયાદ નોધાવી હતી.

આ દરમિયાન સોનગઢમાં કપડબંધ ગામે 40 વર્ષિય યુવકની ઘાતકિય હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સોનગઢ પીઆઈ હિતેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા હત્યારાને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન મરનારના મૃતદેહનું પંચનામું તેમજ આજુબાજુ રેહતા લોકોના નિવેદનો લેતા આ યુવકની હત્યાનું કારણ આડા સંબંધ હોય શકે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, મૃતક મહેશભાઇ તથા તેમના પત્ની રંજીતાબેન તેમના જ ફળિયાના કાંતિલાલ રંજીભાઈ ગામીતને ત્યાં છેલ્લાં ત્રણેક વર્ષથી મજુરી કામે જતાં હતા અને બનાવના દિવસે કાંતિલાલ બનાવના સ્થળે હાજર રહી ત્યાંથી જતો રહ્યો હતો. આ દરમિયાન કાંતિલાલની સઘન પૂછપરછ કરતાં સોનગઢ પોલીસનું ‘પતિ-પત્ની ઓર વો’ના આડા સંબંધનું અનુમાન સાચું પડ્યું હતું. આ દરમિયાન કાંતિલાલે પોલીસને જણાવ્યું હતું કે, મૃતક મહેશભાઇની પત્ની રંજીતા સાથે તેનો પ્રેમ સંબંધ હતો. કાંતિલાલ રંજીતાને પોતાની પત્ની તરીકે રાખવા ઈચ્છતો હતો.

પરંતુ રંજીતાબેનના લગ્ન મહેશભાઈ સાથે થઈ ગયા હોવાથી કાંતિલાલની પત્ની રેહવા માંગતી ન હતી. તેથી કાંતિલાલે તેના પ્રેમ સંબંધમાં કાટા રૂપ બનેલ મહેશભાઇની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. મળતી માહિતી મુજબ, તા. 5મે ના રોજ કાંતિલાલે મહેશભાઇ સાથે ગીરા નદીના દેવડા ચેકડેમ પાસે માછલી મારવા ગયા હતા. આ દરમિયાન કાંતિલાલ પોતાની સાથે શર્ટના પાછળના ભાગે કુહાડી શંતાડી લાવ્યો હતો.

લાગ જોઈને કાંતિલાલ પાછળથી મહેશભાઈના ગાળાના ભાગે કુહાડીના ઘા ઝીંકી મહેશભાઇની હત્યા કરી હતી. આ દરમિયાન મહેશભાઈ ખુબ લોઈલુહાણ થયા હતા. ત્યારબાદ સોનગઢ પોલીસ દ્વારા આ હત્યાના ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી હત્યારા પ્રેમી કાંતિલાલ રંજીભાઈ ગામીતે હત્યામાં વપરાયેલી કુહાડી કબ્જે કરી કાંતિલાલને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *