છેલ્લા 24 કલાકમાં ‘ક્રાઈમ સીટી’ સુરતમાં બીજી હત્યા- વરાછા વિસ્તારમાં પતિએ પત્નીને આપ્યું દર્દનાક મોત, જાણો કારણ

સુરત (Surat) શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. હજુ તો, ચોવીસ કલાક પૂરા થયા નથી ને ત્યાં બીજી હત્યાની ઘટના સામે આવી છે.…

સુરત (Surat) શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. હજુ તો, ચોવીસ કલાક પૂરા થયા નથી ને ત્યાં બીજી હત્યાની ઘટના સામે આવી છે. સુરત શહેરના વરાછા (Varachha) વિસ્તારના હીરાબાગ (Hirabag) માં એક મહિલાની હત્યા થતા લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.

કાપોદ્રા વિસ્તારમાં આવેલી સમા સોસાયટીમાં એક મહિલાની હત્યા થઈ છે. દરરોજ વધતા હત્યાના બનાવોથી શહેરીજનોમાં ડરનો માહોલ વધ્યો છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીના શહેરમાં દિવસેને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે ૨૪ કલાકમાં બે બે હત્યાના બનાવો બનતા, તંત્ર ઉપર સવાલો ઉભા થયા છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, પતિએ જ પત્નીની હત્યા કરી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને વધુ તપાસ હાથ ધરી હતી. હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું છે કે, પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા, પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. ઘટનાની જાણ થતા જ, કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *