અમદાવાદમાં પણ ગ્રીષ્મા જેવી હત્યા: ફેનિલ જેવા નરાધમે જાહેરમાં જ યુવતીને ઉતારી મોતને ઘાટ- જુઓ દર્દનાક ઘટનાનો LIVE વિડીયો

અમદાવાદ(Ahmedabad): હજુ તો સુરત(Surat)ના કામરેજના પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયા(Grishma Vekaria)ની જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી હતી.…

અમદાવાદ(Ahmedabad): હજુ તો સુરત(Surat)ના કામરેજના પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયા(Grishma Vekaria)ની જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી હતી. તેની આગ હજુ ઓલવાઈ નથી ત્યાં તો, અમદાવાદમાં પણ સરેઆમ જાહેરમાં છરીના ઘા ઝીંકીને મહિલાને મોતને (Murder in Ahmedabad)ઘાટ ઉતારી દીધી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે શાકભાજી લેવા માટે ગયેલ મહિલાની હત્યા કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, અમદાવાદના માધુપુર(Madhupur) વિસ્તારમાં સરેઆમ જાહેરમાં રસ્તા ઉપર પરિણીત મહિલાને તેના ભૂતપૂર્વ પ્રેમીએ છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી છે. ત્યારે પત્નીની હત્યાના બનાવમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. હત્યાના બનાવમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના અંશો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ફરિયાદમાં છૂટક મજૂરી કરીને પેટિયું રડતા પરિવારે જૂના પ્રેમસંબંધમાં મહિલા દિવસે જ ઘરની મહિલાને ગુમાવી છે.

મૃતક મહિલાનું નામ આશાબેન હોવાનું જાણવા મળી રહ્યું છે. આશાબેન્નના પતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ છૂટક મજૂરી કરે છે અને માધુપુરા પોલીસ સ્ટેશનની પાછળ મારવાડીની ચાલી કિરણનગરની બાજુમાં શાહપુર દરવાજા પાસે વસવાટ કરે છે. આશાબેન્નના પતિએ જણાવ્યું કે, હું ઉપરના લખાવેલા હું સરનામે મારા પરિવાર સાથે રહું છું અને દૂધેશ્વર રોડ નાગોરી એસ્ટેટમાં કારખાનામાં ફેબ્રિકેશનની છૂટક મજૂરી કામ કરું છું. મારે સંતાનમાં એક દીકરી છે. તેમજ તેનાથી નાનો દીકરો છે. જે છૂટક નોકરી કરે છે.

આશાબેન્નના પતિએ વધુમાં જણાવતા હું કે, મારી પત્નીને અગાઉ ડામરવાળી ચાલીમાં રહેતો નરેશ ઉર્ફે નવીન રાઠોડની સાથે પ્રેમસંબંધ હોય અને ત્યારબાદ મારી પત્નીએ નરેશ સાથે પ્રેમસંબંધ રાખવા માંગતા ન હોય જેથી આ નરેશ ઉર્ફે નવીન મગનભાઇ રાઠોડ મારી પત્નીને અવાર-નવાર તેને મળવા માટે બોલાવવાની કોશીશ કરતો હોય, પરંતુ મારી પત્ની આ નરેશની સાથે આજદિન સુધી બોલચાલ રાખતી ન હોય અને આજ રોજ તા.08/03/2022 સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે હું મારી નોકરી પૂરી કરીને મારા ઘરે ચાલતા ચાલતા પરત આવતો હતો.

મૃતક મમહિલાના પતિએ જણાવ્યું, હું નોકરી ઉપર હતો ત્યારે મને માહિતી મળી કે, રામાપીરના મંદિર પાસે મહેંદીકુવા રોડ જોગણીમાતાના ડહેલા આગળ હનુમાનજીના મંદિર પાસે તારી પત્નીને પેટના ભાગે છરીના ઘા મારી મૃત્યુ નિપજાવેલું છે તેમ જણાવતા હું મારા મામાના એક્ટિવા પર બેસીને મહેંદીકુવા રોડ જોગણીમાતાના ડહેલા આગળ હનુમાનજીના મંદીર પાસે આવેલો અને ત્યાં જઈને જોયેલું તો મારી પત્ની લોહીલુહાણ હાલતમાં પડી હતી.

આ ઘટના પ્રત્યક્ષ જોનારાએ જણાવ્યું કે, 4:30 થી 4:45 વાગ્યા દરમિયાન ડામરવાળી ચાલીમાં રહેતો નરેશ ઉર્ફે નવીન રાઠોડ લોખંડની છરીથી પેટના ભાગે છરીના ઘા મારી મૃત્યુ નિપજાવેલું છે અને આ નરેશ ઉર્ફે નવીન રાઠોડ ત્યાંથી ભાગી ગયેલો છે તેમ જણાવેલું છે ત્યાર બાદ કોઈએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *