જામનગરમાં 11 વર્ષની માસુમ પુત્રી પર સગા પિતાએ કર્યું બે વાર દુષ્કર્મ

જામનગરનાં જોડિયા પંથકમાં પિતા પુત્રી વચ્ચેનાં પવન સંબંધોને શર્મજનક કરે તેવો ધૃણાસ્પદ બનાવ બહાર આવતા હાહાકાર મચી ગયો છે. પરપ્રાંતીય શ્રમિક પરિવારની 11 વર્ષીય માસુમ પુત્રી ઉપર નજર બગાડી તેના નરાધમ પિતાએ 2 વાર બળાત્કાર ગુજાર્યાનો બનાવ બહાર આવતાં હાહાકાર મચી ગયો છે. આખા બનાવે જોડિયા પોલીસ મથકમાં દાખલ થયા બાદ ભાગી ગયેલા પિતાને જોડિયા પોલીસે મોબાઇલ લોકેશનનાં આધારે શોધી બળાત્કાર વિશેનાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

મૂળ મધ્ય પ્રદેશ રાજ્યનાં વતની તેમજ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્યમાં મજુરી કામ માટે આવેલ આદિવાસી પરિવારની 11 વર્ષીય પુત્રી પર તેનાં જ સગા પિતાએ પોતાની હવસ સંતોષવા બળાત્કાર ગુજાર્યાનો બનાવ બહાર આવ્યો છે.

ધ્રોલ તાલુકાનાં લતીપુર ગામમાં ઘણા સમયથી મજૂરીકામ માટે આવેલ મધ્યપ્રદેશ રાજ્યનાં એક શ્રમિક પરિવાર કે જેઓ પતિ, પત્ની તેમજ તેના ત્રણ સંતાનો કે, જેમાં મોટી પુત્રી 11 વર્ષની છે. એ પછી એક પુત્ર તેમજ પુત્રી કે જેઓ બહુ જ નાની ઉંમરનાં છે આ પરિવાર ગઈ 29 તારીખે લતીપુર છોડીને જોડિયા તાલુકાનાં તારાણા ધાર વિસ્તારમાં એક વાડીમાં ખેત મજુરી કામ માટે આવ્યા હતા તેમજ એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ ચાલુ કર્યું હતું.

આ દરમિયાન બાપે પોતાની 11 વર્ષીય મોટી પુત્રી ઉપર જ નજર બગાડી હતી. અને તે પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવવા પત્ની અને બીજા 2 નાના સંતાનોને આધાર કાર્ડ કઢાવવા માટેના બહાને પહેલી તારીખે પોતાનાં વતનમાં મોકલ્યા હતા. જ્યારે 11 વર્ષીય મોટી પુત્રી તેમજ તેનાં પિતા બન્ને તારાણાધારમાં રોકાયા હતા. આ દરમિયાન પાછળથી પુત્રીની એકલતાનો લાભ લઇને તેની માસુમ પુત્રી ઉપર તેના સગા બાપે બળાત્કાર કર્યો હતો. તેથી તે પુત્રી એકદમ ડરી ગઇ હતી. એ પછી 2 તારીખે પણ ફરી પાછી પુત્રીને તેનો હવસનો શિકાર બનાવીને માસુમને પિંખી નાંખી હતી.

આથી પુત્રીએ તુરંત તેની માતાનો ફોન કર્યો તેમજ તેના પિતાએ તેની સાથે કરેલ અઘટીતિ કૃત્ય અંગે જાણ કરી હતી. તેથી તેની માતા તેના 2 સંતાનોની સાથે જોડીયા પાછી આવી હતી તેમજ પોતાનાં સમાજનાં બીજા આગેવાનોનો સંપર્ક કર્યો હતો. જે સમગ્ર બનાવની જાણ થતાં નરાધમ બાપ જોડીયાનાં પંથકમાંથી પોબારા તરફ ગયો હતો.

આ સમગ્ર બનાવ ગઈકાલનાં રોજ જોડીયા પોલીસ મથકમાં પહોંચ્યો હતો તેમજ ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદનાં આધાર પર તેનાં જ સગા બાપ સામે 11 વર્ષીય પુત્રી ઉપર 2 વાર દુષ્કર્મ આચરવાનાં વિશેનો IPC કલમ 376 તેમજ પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોડિયાની પોલીસે સગીરાને સારવાર અર્થે જામનગર જીલ્લાની G.G. હોસ્પિટલમાં પહોંચાડી હતી. અને ભાગી ગયેલા નરાધમ બાપને શોધવાનું ચાલુ કર્યું હતું.

એમાં તેનાં મોબાઇલનું લોકેશન મેળવીને ગઈકાલનાં રોજ નરાધમ બાપને પકડવામાં આવ્યો હતો તેમજ તેનો જામનગર જીલ્લાની જી.જી. હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવવાથી તેની ધરપકડ કરી વધારે તપાસ ચાલુ કરી છે. આ સમગ્ર બનાવ બહાર આવતા નરાધમ બાપની સામે ચોમેરથી ફીટકારની લાગણી વરસી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *