કોરોના વચ્ચે ગુજરાતમાં વિધાનસભા શરુ રાખવી ભારે પડી- એક સાથે આટલા અધિકારીઓનો રીપોર્ટ આવ્યો પોઝીટીવ

હાલમાં જયારે સમગ્ર દેશની સાથે-સાથે રાજ્યમાં પણ કોરોનાની સ્તીથી વણસતી જઈ રહી છે ત્યારે એક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં જબરદસ્ત…

હાલમાં જયારે સમગ્ર દેશની સાથે-સાથે રાજ્યમાં પણ કોરોનાની સ્તીથી વણસતી જઈ રહી છે ત્યારે એક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જેને ધ્યાનમાં લઈ રાજ્યના મહાનગરોમાં રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો કરીને રાત્રીના 10 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ વધતા અંશત લોકડાઉન જેવી જાહેરાત કરવામાં આવી છે. આ દરમ્યાન, વિધાનસભામાં બજેટ સત્ર શરૂ રાખવામાં આવ્યું છે. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન જ પાંચ નાયબ સચિવ કોરોનાની ચપેટમાં આવ્યાં છે જેના કારણે અન્ય અધિકારીઓમાં ગભરાટનો માહોલ પ્રવર્તી રહ્યો છે. વિધાનસભા બજેટ સત્ર હવે આખરી પડાવમાં છે ત્યારે જ ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યાં છે.ફરી એકવાર ગુજરાતના મોટા શહેરોમાં તો આંશિક લોકડાઉન જેવી સ્થિતી પરિણમી છે. આ સંજોગોમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યુ છે.

વિધાનસભામાં ધારાસભ્ય, અધિકારી, પોલીસને લીધે કોરોનાના સંક્રમણની શક્યતા વધુ
રાજ્ય સરકારને આમ જનતા વચ્ચે કોરોના ફેલાય તેની ચિંતા છે. તો શું વિધાનસભામાં કોરોના ન ફેલાઈ શકે. રાજ્ય સરકાર દ્વારા ચાની કીટલી, રેસ્ટોન્ટ, મોલ માં થોડાક લોકો એકત્ર થાય તો સરકારને કોરોના વકરવાનો ભય સતાવે છે જયારે વિધાનસભામાં એક જ હોલમાં 170થી વધુ ધારાસભ્યો,100થી વધુ અધિકારીઓ,પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત હોય છે. મુલાકાતીઓની પણ અવરજવર સતત શરૂ રહેતી હોય છે ત્યારે કોરોના થવાની શક્યતા વધુ રહેલી છે.

અન્ય અધિકારીઓને હોમ કવોરન્ટાઇન થવા અંગે જણાવાયુ છે
મળતી માહિતી મુજબ, સામાન્ય વહીવટ, માર્ગ મકાન વિભાગ, પંચાયત વિભાગ, વન પર્યાવરણ વિભાગ અને ગૃહ વિભાગના પાંચ ડેપ્યુટી સેક્રેટરી કોરોનાથી સંક્રમિત થયા છે. આ જોતાં આ જ વિભાગના અન્ય અધિકારીઓને હોમ કવોરન્ટાઇન થવા જણાવી દેવાયુ છે.

કેટલાંક મંત્રી-અધિકારીઓએ કોરોનાની રસી લઇ લીધી છે જેના કારણે તેમને કોરોના નહી થાય તેવુ સમજી તેઓ બિન્દાસ બની બેઠાં છે અને સત્ર યથાવત રહે તેવી હિમાયત કરી રહ્યાં છે. આમ, બજેટ સત્ર વખથે અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થતા વિધાનસભામાં ય ગભરાટનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

અત્રે નોંધનીય છે કે, છેલ્લા શુક્રવારે 24 કલાકમાં શહેર તથા સમગ્ર જિલ્લામાં 344 નવા કેસ તેમજ 260 દર્દી સાજા થયા હતા. જ્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં 1 દર્દીના મોતની સાથે મૃત્યુઆંક 2,329 પર પહોંચી ગયો છે. 5 મહિના એટલે કે 10 નવેમ્બર બાદ પહેલી વખત શહેર તથા જિલ્લામાં કોરોનાના નવા કેસનો આંકડો 340 આસપાસ પહોંચી ગયો છે. અગાઉ 344 કેસ નોંધાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *