એવી તો શું આફત આવી પડી કે આખા પરિવારે કરી લીધો આપઘાત- આઘાતજનક સમાચાર

રાજસ્થાનની રાજધાની જયપુરથી સનસનાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. એક જ પરિવારના 4 સભ્યોએ આત્મહત્યા કરી છે. માતા-પિતા અને બે બાળકોએ આત્મહત્યા કરી હતી. આ ઘટના…

રાજસ્થાનની રાજધાની જયપુરથી સનસનાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. એક જ પરિવારના 4 સભ્યોએ આત્મહત્યા કરી છે. માતા-પિતા અને બે બાળકોએ આત્મહત્યા કરી હતી. આ ઘટના કનોટા પોલીસ સ્ટેશન વિસ્તારના જમડોલીની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર દેવાથી ત્રાસી ગયો હતો.

જોકે, ઘટના સ્થળેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી છે કે નહીં, પોલીસે હાલમાં તે વિશે કોઈ માહિતી આપી નથી. પોલીસે તપાસ શરૂ કરી છે. આ કેસ મુખ્યત્વે આત્મહત્યાથી સંબંધિત હોવાનું માનવામાં આવે છે.

પોલીસે જણાવ્યું કે માતા-પિતા અને બે બાળકોએ સામુહિક આત્મહત્યા કરી છે. પરિવારના આ સભ્યોએ ફાંસીએ લટકીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફોરેન્સિક ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે. આ કુટુંબ જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર દેવાથી ત્રાસી ગયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઝવેરાતના ધંધા વાળો આ પરિવાર પર દેવામાં ડૂબી ગયો હતો. આ પરિવાર દેવાના કારણે પરેશાન હતું કારણ કે વ્યાજ માફિયાઓ પરિવારને પજવતા હતા. પોલીસે વ્યાજ માફિયાઓની અટકાયત કરી છે.

જોકે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આ કેસમાં આગળની તપાસ હાથ ધરી છે. કસ્ટડીમાં લેવામાં આવતા વ્યાજ માફિયાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *