માતાના પ્રેમસંબંધથી નારાજ પુત્રએ પોતાની જ માતા સાથે કર્યું એવું કે, જાણીને રુવાડા ઉભા થઇ જશે

દેશમાં અવાર-નવાર નજીવી બાબતે હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. જયપુરના કોટપુટલી વિસ્તારમાં ફરી એક હત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં ડબલ મર્ડરના કેસમાં મૃતકના પુત્ર પંકજની ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દીકરાએ બંનેને ગોળી મારી દીધી હશે, અને તે પછી બહેનને જાણ કર્યા બાદ તે ભાગી ગયો હતો.

આજે સવારે કોટપુટલીના શાલુ રાવતની ઢાણી પાસે શિવ કોલોનીના એક મકાનમાંથી એક પુરુષ અને મહિલાની લાશ મળી આવી હતી. આ ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલી જયપુર પોલીસે મૃતક મહિલાની ઓળખ સુમન ચૌધરી અને ડો.માતાદિન શેખાવત તરીકે કરી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, મૃતક સુમન ચૌધરીના લગ્ન ઘણા વર્ષો પહેલા હરિયાણામાં થયા હતા, ત્યારબાદ તે થોડા વર્ષોથી તેના સાસરિયાથી અલગ રહેતી હતી.

પોલીસ ડેપ્યુટી એસપી દિનેશ યાદવે જણાવ્યું હતું કે, મૃતકનો પુત્ર પંકજ તેની માતા સુમન અને માતાદીનના સંબંધ વિષે જાણતો હતો. આ અંગે તેણે તેની બહેન અને પરિવારના અન્ય સભ્યોને કહ્યું હતું. આટલું જ નહીં અન્ય સબંધીઓ પણ જાણતા હતા કે, તે કોટપુટલીમાં તેઓ એક સાથે લિવ-ઇનમાં રહેતા હતા. બાનસુરમાં તેના ગામમાં રહેતી મતાદિનની તેની પત્ની ઉપરાંત બે બાળકો છે.

મળતી માહિતી મુજબ સાસુ સસરા પણ મૃતક સુમન ચૌધરીના ઘરની ઉપરના માળે રહેતા હતા. તેમનું કોટપુટલીમાં રામસિંહપુરા ગામમાં એક દવાખાનું હતું. આ સિવાય તે જે મકાનમાં રહેતો હતો ત્યાં દર્દીઓની સારવાર કરતો હતો, જેના માટે તેણે સ્થળ પર એક બોર્ડ અને બેનર લગાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *