હાર્ટએટેકે લીધો વધુ એક યુવકનો ભોગ: જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતા-કરતા ઢળી પડ્યો 19 વર્ષનો યુવક, હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મોત

Youth dies of heart attack in Jamnagar: “ઝીંદગી એક સફર હૈ સુહાના…યહા કલ કયાં હો કીસને જાના….” હાલના સમયમાં આ પંકીત એકદમ સાચી સાબિત થઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં સતત કાર્ડીયાક એરેસ્ટના તથા હાર્ટ એટેકનાના પ્રમાણમાં ચીંતાજનક વધારો થઇ રહ્યો છે, તે ખુબ જ આઘાતજનક છે. મહત્વનું છે કે, કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.

ચિંતા એ વાતની છે કે, ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર  ગુજરાત રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે બે યુવાનોના મોત થયા છે. ત્યારે હાલમાં જામનગરમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

જૂનાગઢ બાદ હવે જામનગરમાં ગઈકાલે ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય વિનિત કુંવરીયાનું હાર્ટ અટેકથી મોત થયું હતું. જે બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પટેલ પાર્ક વિસ્તારના ગરબા ક્લાસમાં આ ઘટના બની હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

મળતી માહિતી મુજબ, જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાં આવેલાં ”સ્ટેપ & સ્ટાઈલ ગરબા ક્લાસ”માં 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા ગરબાની પ્રેક્ટિસ કરવા ગયો હતો. આ દરમિયાન તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાં જ ઢળી પડ્યો હતો. જેને ત્યાં હાજર લોકોએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ પછી મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અત્રે ઉલેખનીય છે કે, 2 દિવસ પહેલા જ જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતો ચિરાગ પરમાર નામનો 24 વર્ષીય યુવાનને દાંડિયા રમવાનો શોખ હતો. જે છેલ્લા 10 વર્ષથી દર વર્ષે નવરાત્રિ પહેલા દાંડિયા ક્લાસિસમાં જતો અને નવરાત્રિમાં આ યુવાન દાંડિયા રમતો હતો. દાંડિયામાં ઘણા પુરસ્કાર મેળવી ચૂકેલો ચિરાગ પરમાર ગઇકાલે જૂનાગઢના જોષીપરા ખાતે આવેલા એક દાંડિયા ક્લાસીસમાં સાંજના 8:00 વાગ્યાના સમયે ગયો હતો અને ત્યાં દાંડિયા રમવા લાગ્યો હતો.

દાંડિયારાસ રમતા-રમતા ચિરાગને ચક્કર આવતાં તે અચાનક બેભાન થઈને નીચે પડી ગયો હતો. ત્યાં હાજર લોકોએ ચિરાગને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરોએ ચિરાગને મૃત જાહેર કર્યો હતો અને પીએમ રિપોર્ટમાં ચિરાગ પરમારનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *