એવું તો શું દુઃખ આવી પડ્યું કે, રજાઓમાં ઘરે આવેલા BSF જવાને ચિઠ્ઠી લખી જીવન ટૂંકાવી દીધું- ચિઠ્ઠીમાં લખ્યું કે…

હાલ એક ખુબ જ દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં BSFનો જવાન રજાઓ લઈ ઘરે આવ્યો હતો, પરંતુ આ દરમિયાન તેણે અચાનક જ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ પછી ઘટના સ્થળેથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

મળતી માહિતી અનુસાર, વિનોદ કુમાર સૈની ચરુ જિલ્લાના રતનનગર જિલ્લાના રહેવાસી હતા. તેઓ BSFમાં નોકરી કરતા હતા. તે BSFમાં નોકરી કરતા હોવાથી આખો પરિવાર ખુબજ ખુશ હતો, તેમની દીકરી સેનામાં નોકરી કરે છે. ત્યારે આજથી એક મહિનાના પહેલા વિનોદ કુમાર રજાઓ લઈને પોતાના ઘરે આવ્યા હતા. લાંબા સમયે દીકરાને જોઈને આખો પરિવાર ખુબજ ખુશ હતો.

આ દરમિયાન એક દિવસ તેઓ પોતાના ખેતરમાં પાક જોવા માટે ગયા હતા. તેમને ત્યાંથી પોતાના ભત્રીજાને ફોન કર્યો કે, તેને ખુબ જ ગૂંગળામણ થાય છે. જેને પગલે પરિવારજનો લોકો તરત જ ખેતરમાં પહોંચી ગયા હતા. ત્યાં જઈને જોયું તો વિનોદે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ જોઈને તો આખા પરિવારના હોશ ઉડી ગયા હતા. તરત જ તેમને હોસ્પિટલ લઈને જવામાં આવ્યા હતા, હોસ્પિટલમાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ પછી પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, તેમને બે લોકોને ૮ લાખ રૂપિયા આપ્યા હતા. હવે તે તેમના રૂપિયા પાછા નથી આપી રહ્યાં માટે તે પોતાનું જીવન ટૂંકાવવા માટે જઈ રહયા છે. તેમની પર કડક કાર્યવાહી થવી જોઈએ એવું લખીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. ઘટનાને પગલે હાલ પરિવારજનો પર આભ ફાટી પડ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *