સરકારી ઓફીસનાં કર્મચારીએ કર્યો આપઘાત: સ્યુસાઈડ નોટ મળી આવતા થયો ચોંકાવનાર ખુલાસો

આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં આવી અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના જૂનાગઢમાં આવેલ કેશોદમાં પાણી પુરવઠા ઓફિસમાં પટાવાળાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કરસનભાઈ ચાવડા નામના પટાવાળાનો મૃતદેહ પુરવઠા ઓફિસની અગાસી પરથી મળી આવ્યો છે.

જો કે, સમગ્ર ઘટનામાં તેમના મૃતદેહ પાસેથી મળી આવેલ સ્યૂસાઈડ નોટને લીધે ખુબ ચર્ચા જગાવી છે. તેમની સ્યૂસાઈડ નોટમાં લખ્યુ છે કે, ‘મારા ઘરના તથા ઓફીસ વાળાને હેરાન ન કરતા. રબારી, ભરવાડ તથા ચારણ સમાજને તેમજ તેના વિદ્યાર્થીઓને સરકાર હેરાન કરે છે તથા રબારી ભરવાડ અને ચારણ સમાજ માટે બલિદાન આપું છું.’

જન્માષ્ટમીમાં સૌરાષ્ટ્રમાં રજાનો માહોલ હોય છે. જન્માષ્ટમીની રજાઓ પછી મંગળવારે સરકારી ઓફિસો ખૂલી હતી ત્યારે પુરવઠા વિભાગની ઓફિસ ખોલતાની સાથે જ તેમાંથી અતિ દુર્ગંધ આવતી હોય છે. જેથી કર્મચારીઓએ તપાસ કરતા ઓફિસની અગાશી પરથી મૃતદેહ મળી આવ્યો હતો.

આ મૃતદેહ ઓફિસમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા કરસનભાઈ ચાવડાનો હતો. તેમની લાશ કોહવાઈ ગઈ હતી, જેને કારણે દુર્ગંધ મારતી હતી. આ મામલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, કરસન ભાઈ નારણ ભાઈ ચાવડા હુસેનાબાદ ગામના રહેવાસી હતી.

તેઓ 28 ઓગસ્ટે ઘરેથી નીકળ્યા હતા, ત્યારપછી તેઓ ઘરે ન આવતા તેમના કુટુંબીજનોએ શોધખોળ ચાલુ કરી દેવામાં આવી હતી. કચેરીમાં છતમાં લટકાયેલ કોહવાયેલ હાલતમાં કરશનભાઇની લાશ મળી આવી હતી તેમજ આની સાથે સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. 

ચોંકાવનારી સ્યૂસાઈડ નોટ:
પોલીસને મૃતદેહની પાસેથી જે સ્યૂસાઈડ નોટ મળી આવી તેમાં લખ્યુ હતું કે, ‘મારા ઘરના અને ઓફીસ વાળાઓને હેરાન ન કરતા રબારી, ભરવાડ તથા ચારણ સમાજ તથા તેના વિધાર્થીઓને સરકાર હેરાન કરે છે અને રબારી ભરવાડ તથા ચારણ સમાજ માટે બલિદાન આપી રહ્યો છું.’ હાલમાં પોલીસ દ્વારા હત્યા છે કે આત્મહત્યા એને લઈ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *