6 લોકોની અંતિમ તસ્વીર! એક જણને બચાવવામાં અન્ય પાંચ પણ ડૂબ્યા, એકનું મોત- બીજા હજુ પણ લાપતા

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના કાનપુર(Kanpur)માં મંગળવારે છ બાળકો ડૂબી ગયા, જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. બિલ્હૌર(Bilhaur)ના ગંગા ઘાટ પર બનેલી ઘટનામાં બાકીના લોકોને શોધવા માટે જિલ્લા વહીવટીતંત્ર, SDRF અને ડાઇવર્સની ટીમ બુધવારે સવારથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હજુ પણ 5 ગુમ હોવાની માહિતી સામે આવી છે.

આ દરમિયાન 6 લોકોની તસવીર સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનાની થોડી મિનિટો પહેલાની તસવીર છે. આ તસવીર લીધાની થોડીવાર બાદ એક બાળકી ડૂબવા લાગી, બચાવવાની પ્રક્રિયામાં એક પછી એક વધુ 5 લોકો ડૂબી ગયા. મંગળવારે મોડી રાત સુધી એક છોકરાનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે પાંચ હજુ લાપતા છે.

મળતી માહિતી મુજબ, સૌરવ કટિયારના કાકાની દુકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અનુષ્કા, તનુ, મનુ, અંશિકા, અભય અને સૌરભ સહિત તમામ સંબંધીઓના બાળકો તેમાં હાજરી આપવા આવ્યા હતા. દરેક વ્યક્તિએ મંગળવારે બપોરે ગંગામાં ઉભા રહીને એકસાથે ફોટો પડાવ્યો હતો. તેનો ફોટો ગૌરીએ લીધો હતો.

આ દરમિયાન અંશિકા ડૂબવા લાગી, તેને બચાવવા માટે તમામ વિદ્યાર્થીઓ એક પછી એક કૂદ્યા અને ગંગાના વહેણમાં વહી ગયા. ખાસ વાત એ છે કે, બધા એકબીજાના સગા હતા. પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સાંજે SDRFની ટીમ આવી પહોંચી હતી, તે પહેલા માત્ર સૌરભનો મૃતદેહ મળી આવ્યો હતો.

બાકીના પાંચની શોધ બુધવાર સવારથી શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે બિલ્હૌર ઘાટ સિવાય આગળના ઘાટોમાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે, પ્રવાહ ખૂબ જ મજબૂત છે, બાળકો દૂર વહી ગયા હોઈ શકે છે. એસડીઆરએફ, પોલીસ અને ડાઇવર્સ હાલમાં બાળકોને શોધી રહ્યા છે, આશા છે કે તેઓ જલ્દીથી મળી આવશે.

બીજી તરફ એક સાથે 6 બાળકોના ડૂબી જવાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને લોકો એવો સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે કાનપુરમાં ગંગા નદીના કિનારે દર વર્ષે આટલા લોકો ડૂબી જાય છે, તેમ છતાં ઘાટ પર સુરક્ષા વ્યવસ્થા કેમ નથી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *