કેજરીવાલે ભાજપના નેતાઓની સરખામણી કંસ સાથે કરતા સી આર પાટીલ બોલ્યા કઈક એવું કે…

ગુજરાત(Gujarat) વિધાનસભા ચૂંટણી(Assembly elections) આડે હવે ગણતરીના મહિના બાકી છે. જોકે હજુ સુધી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. ત્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi…

ગુજરાત(Gujarat) વિધાનસભા ચૂંટણી(Assembly elections) આડે હવે ગણતરીના મહિના બાકી છે. જોકે હજુ સુધી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. ત્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના રાષ્ટ્રીય સંયોજક(National Coordinator) અને દિલ્હીના મુખ્યમંત્રી(Chief Minister of Delhi) અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) તેમજ પંજાબના મુખ્યમંત્રી(Chief Minister of Punjab) ભગવંત માન(Bhagwant Maan) દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓએ વડોદરા (Vadodara)માં તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. તેમજ ત્યાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટીલે શું કર્યો પ્રહાર:
ત્યારે તિરંગા યાત્રા દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, ‘મારી વિરુદ્ધ બેનર લગાવવા વાળા કંસની ઓલાદ છે’. ત્યારે કેજરીવાલના કંસના નિવેદન અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કેજરીવાલને જૂઠું બોલવાવાળા વ્યક્તિ ગણાવી કેજરીવાલે ગુજરાતના લોકોને કંસ કહ્યા હોવાનું સી આર પાટીલે નિવેદન આપ્યું હતું. તેમજ ગુજરાતના લોકોને કંસ ગણાવનાર કેજરીવાલની હજુ સુધી ગુજરાતની જનતાએ પ્રવેશ બંધી કેમ નથી કરી, તેમ કહીને પાટીલે ગુજરાતની પ્રજાને સારી ગણાવી હતી.

જે લોકોએ આ પોસ્ટર લગાવ્યા છે એ લોકોએ ભગવાનને પણ છોડ્યા નથી: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રામાં હજારોની ભીડને સંબોધતા જણાવ્યું હતું કે, આજનાં દિવસે જ્યારે મારું ગુજરાતમાં આવવાનું નક્કી થયું તો ભાજપવાળાએ મારી વિરુદ્ધ દરેક જગ્યાએ પોસ્ટર લગાવી દીધા. તે મારી વિરુદ્ધ ગમે તે કરે, મને તેની સાથે કોઈ જ વાંધો નથી, પરંતુ તેમણે પોસ્ટર ઉપર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, જે લોકોએ આ પોસ્ટર લગાવ્યા છે એ લોકો મારી નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે તેઓએ ભગવાનને પણ છોડ્યા નથી અને અપશબ્દો લખીને ભગવાનનું અપમાન કર્યું છે. હું એક ધાર્મિક માણસ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. હનુમાનજીની અસીમ કૃપા મારા પર છે. બધી જ આસુરી અને રાક્ષસી શક્તિઓ મારી સામે વિરુદ્ધ એકઠી થઈ ગઈ છે.

કેજરીવાલએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આ બધા કંસની ઓલાદ છે. આ બધા લોકો ભગવાનનું અપમાન કરે છે, ભક્તોનું અપમાન કરે છે, બધી જગ્યાએ ગુંડાગર્દી કરે છે, લફંગાઇ કરે છે, મારપીટ કરે છે, હું તેમને કહેવા માંગુ છું કે, મારો જન્મ જન્માષ્ટમીનાં દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે, આ કંસની ઓલાદોનો નાશ કરવા માટે. જેટલા પણ ભ્રષ્ટાચારી, ગુંડાગર્દી કરવાવાળા લોકો છે એ સૌને જનતાથી મુક્તિ અપાવવા માટે આપણે સૌ ભેગા મળીને ભગવાનનું આ કાર્ય પૂરું કરીશું. ભગવાન અમારી સાથે છે, લોકો અમારી સાથે છે,જનતા પરિવર્તન ઈચ્છે છે અને તેના કારણે આ લોકો બધી બાજુથી બોખલાઈ ગયા છે. હું તેમને કહેવા માંગુ છું કે, તમે કેજરીવાલને નફરત કરી લો, પરંતું જો ભગવાન વિરુદ્ધ આવા અપશબ્દો લખશો તો જનતા તેને સહન કરશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *