રાહતના સમાચાર: ભારતમાં મંકીપોક્સનો પ્રથમ દર્દી થયો સ્વસ્થ- રજા આપતા આરોગ્ય મંત્રીએ જાણો શું કહ્યું?

દેશમાં મંકીપોક્સ(Monkeypox)ના પ્રથમ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કેરળ(Kerala)ના કોલ્લમ(Kollam)નો એક 35 વર્ષીય વ્યક્તિ, જે યુએઈથી પાછો ફર્યો હતો, તે મંકીપોક્સ વાયરસથી સંક્રમિત જોવા મળ્યો હતો. છેલ્લા 17 દિવસથી તિરુવનંતપુરમ મેડિકલ કોલેજ(Thiruvananthapuram Medical College)માં તેની સારવાર ચાલી રહી હતી. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે(Veena George) રવિવારે સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે મંકીપોક્સ વાયરસથી સંક્રમિત દેશના પ્રથમ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેના તમામ પરિમાણો સ્થિર છે. તેના પ્રાથમિક સંપર્કોના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બધા નેગેટિવ મળ્યા છે.

કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે 12 જુલાઈના રોજ રાજ્યમાં મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ કરતા કહ્યું, ‘દર્દી UAEથી પરત ફર્યા છે. તેનામાં મંકીપોક્સના ચિહ્નો દર્શાવ્યા પછી, તેના નમૂનાને ત્રિવેન્દ્રમ એરપોર્ટ પર તપાસ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં મોકલવામાં આવ્યા હતા. તપાસમાં તે મંકીપોક્સથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. WHO અને ICMR દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા મુજબ, દર્દીને ત્રિવેન્દ્રમ મેડિકલ કોલેજમાં અલગ રાખવામાં આવ્યો છે.

કેરળના આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે મંકીપોક્સ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. દેશ અને રાજ્યના પ્રથમ દર્દીની હાલત સ્થિર છે અને તેના તમામ અંગો સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. ત્રિવેન્દ્ર મેડિકલ કોલેજમાં 17 દિવસ સુધી આઈસોલેશનમાં રહ્યા બાદ તેમને રજા આપવામાં આવી છે. મંકીપોક્સના લક્ષણો હવે તેમનામાં દેખાતા નથી. તેના પ્રાથમિક સંપર્કોની ઓળખ કરવામાં આવી હતી. દર્દીના માતા-પિતા, ટેક્સી ડ્રાઈવર, ઓટો ડ્રાઈવર અને તે જે ફ્લાઈટમાંથી આવ્યો હતો તેના 11 મુસાફરોના સેમ્પલ NIV પુણેને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

મંકીપોક્સ વાયરસ પરિવારમાં ઓર્થોપોક્સ વાયરસ જીનસનો છે. ઓર્થોપોક્સ વાયરસ જીનસમાં વેરિઓલા વાયરસ (જે શીતળાનું કારણ બને છે), વેક્સિનિયા વાયરસ (શીતળાની રસીમાં વપરાય છે) અને કાઉપોક્સ વાયરસનો પણ સમાવેશ થાય છે.

મંકીપોક્સ વાયરસના લક્ષણો:
જ્યારે તમે મંકીપોક્સ વાયરસથી સંક્રમિત થાઓ છો, ત્યારે તેના પ્રથમ લક્ષણો 5 થી 21 દિવસમાં દેખાવા લાગે છે. આ દરમિયાન તમને તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ધ્રુજારી, થાક, કમરનો દુખાવો જેવા લક્ષણો દેખાય છે. આ બધા લક્ષણો દેખાય પછી તેની અસર ત્વચા પર દેખાવા લાગે છે. શરીર પર પિમ્પલ્સ દેખાય છે. હાથ, પગ, હથેળી, પગના તળિયા અને ચહેરા પર નાના પિમ્પલ્સ દેખાવા લાગે છે.

શું મંકીપોક્સથી જીવ જઈ શકે છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, મધ્ય આફ્રિકામાં જ્યાં લોકોને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પણ નથી, ત્યાં આ વાયરસથી સંક્રમિત 10 લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. જો કે, મંકીપોક્સના ઘણા કિસ્સાઓમાં, દર્દી થોડા અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે.

શું આનો કોઈ ઈલાજ છે?
હજુ સુધી મંકીપોક્સ વાયરસની કોઈ ચોક્કસ સારવાર બહાર આવી નથી. આવી સ્થિતિમાં, આ વાયરસથી સંક્રમિત લોકોએ પોતાને અન્ય લોકોથી દૂર રાખવું જરૂરી છે જેથી આ વાયરસ ફેલાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *