ખોડલધામ ટ્રસ્ટની શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટી જાહેરાત- કહ્યું, ગુજરાતના આ ફેમસ ફરવા લાયક સ્થળ પર બનાવશે…

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના કાગવડ(Kagvad) ખોડલધામ મંદિર(Khodaldham temple) સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે, જેથી સાતમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે ખોડલધામ ખાતે…

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના કાગવડ(Kagvad) ખોડલધામ મંદિર(Khodaldham temple) સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે, જેથી સાતમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે ખોડલધામ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાત કરવામાં આવી છે. મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે, ખોડલધામ ટ્રસ્ટ(Khodaldham Trust) દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity) ખાતે શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવશે.

મહત્વનું છે કે, લેઉવા પાટીદાર સમાજના કુળદેવી કાગવડ ખોડલધામ મંદિર ખાતે આજે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને છ વર્ષ પૂરા થયા છે. સાતમા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ખોડલધામના ઓલ ઇન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ગુજરાતના લેવા પાટીદાર ધારાસભ્યો મંત્રીઓ સહિતના આગેવાનો હાજર રહ્યા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કાર્યક્રમની અંદર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા તાજેતરમાં જ નવા જોડાયેલા તમામ ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમાં બહોળી સંખ્યામાં નવા જોડાયેલા ટ્રસ્ટી મંડળ હાજર રહ્યા હતા. જેમાં આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલનો તેમજ નિરમા ગ્રુપના કરશન પટેલને ટ્રસ્ટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે 50 જેટલા ટ્રસ્ટ્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ રહ્યું ખોડલધામ ટ્રસ્ટમાં જોડાયેલા નવા ટ્રસ્ટીઓનું લિસ્ટ:
ખોડલધામ ટ્રસ્ટમાં જોડાયેલા નવા ટ્રસ્ટીઓમાં અનાર બેન પટેલ, બીપીનભાઈ પટેલ, મૃગેશભાઇ કાળુભાઈ ઝાલાવાડીયા, જગદિશભાઈ ડોબરીયા (જેપી ઈન્ફ્રા), ગુણવંતભાઈ ભાદાણી (સ્વાગત ૩૫), દુષ્યંતભાઈ ટીલાળા (રાજન ટેક્નોકાસ્ટ), વી.પી. વૈષ્ણવ (ચેમ્બર પ્રમુખ), ચંદ્રકાંતભાઈ ભાલાળા (બાલાજી મલ્ટીપ્લેક્સ), વિમલભાઈ પાદરીયા (સિદ્ધિ વિનાયક ગ્રુપ) સમાવેશ થાય છે.

સાથે સાથે સંજયભાઈ સાકરીયા (આસોપાલવ ગ્રુપ, મનોજભાઈ સાકરીયા (સોપાન ગ્રુપ), રમેશભાઈ પાંભર (ડેકલાઈન ઈન્ડસ્ટ્રીઝા), વિનુભાઈ સરધારા (મારૂતિ ગ્રુપ), કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન ગ્રુપ), ચંદુભાઈ પરસાણા (શ્રી દિનેશભાઈ પરસાણા), અશોકભાઈ પટેલ (જય ગણેશ ઓટો), પરસોત્તમભાઈ નારાણભાઈ જૈવરીયા, નિરવભાઈ દેવચંદભાઈ ખુંટનો પણ સમાવેશ થાય છે.

વધુમાં ચતુરભાઈ રામજીભાઈ ચોડવડીયા, દિનેશભાઈ બટુકભાઈ સિયાણી, રમેશભાઈ મેસિયા, ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા, દિનેશભાઈ ભગવાનભાઈ બાંભણિયા, નાગજીભાઈ નાનજીભાઈ શિંગાળા, સુસ્મિતભાઈ રોકડ, ધ્રુવભાઈ વિનોદભાઈ તોગડીયા, નૈમિષભાઈ રમેશભાઈ ધડુક, રસિકભાઈ મારકણા, રમેશભાઈ કાથરોટીયા, મનીષભાઈ મંગલપરા, દેવચંદભાઈ કપુપરા, મનસુખભાઈ ઉંધાડનો સમાવેશ થાય છે.

નવા ટ્રસ્ટીઓના લીસ્ટમાં રસિકભાઈ ઝાલાવાડિયા, મનસુખભાઈ નારણભાઈ રાદડિયા, હિમતભાઈ બાબુભાઈ શેલડિયા, ભુપતભાઈ પોપટભાઈ રામોલિયા, ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ, પંકજભાઈ નાથાભાઈ ભુવા, કિશોરભાઈ સાવલિયા, નાથાભાઈ મુંગરા, જીતુભાઈ તંતી, નેહલભાઈ પટેલ, પ્રવિણભાઈ વલ્લભભાઈ પટેલ અને કલ્પેશભાઈ તંતીનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *