સુરતમાં ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી હવસ ઉતારી- આ નરાધમને શું સજા મળવી જોઈએ?

સુરત (Surat)માં પણ દિવસેને દિવસે અપહરણ(Kidnapping), દુષ્કર્મ(Mischief), હત્યા(Murder), ચોરી(Theft), મારામારી વગેરેના કિસ્સાઓ ખુબ જ વધતા જાય છે. ત્યારે હાલમાં જ સુરતમાંથી એક ચકચારી ઘટના સામે…

સુરત (Surat)માં પણ દિવસેને દિવસે અપહરણ(Kidnapping), દુષ્કર્મ(Mischief), હત્યા(Murder), ચોરી(Theft), મારામારી વગેરેના કિસ્સાઓ ખુબ જ વધતા જાય છે. ત્યારે હાલમાં જ સુરતમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહીંના પાંડેસરા વિસ્તાર (Pandesara area)માં રહેતી શ્રમજીવી પરિવારની માત્ર 4 વર્ષીય બાળકી પર 40 વર્ષીય નરાધમે દુષ્કર્મ આચર્યું હતું.

એક રીપોર્ટ અનુસાર, રિયા(નામ બદલ્યું છે) તેના ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન આરોપી અજય રામાભાઈ પટેલે(40) મોકાનો ફાયદો ઉઠાવી બાળકીને પોતાના રૂમમાં લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ નરાધમ બાળકી જ્યાં રમી રહી હતી ત્યાં જ તેના ઘર પાસે પણ મૂકી આવ્યો હતો. પછી જયારે બાળકીને દુખાવો થયો ત્યારે તેણે તેની માતાને આ વિશે જાણ કરી હતી.

રીયાએ તેની માતાને જણાવ્યું હતું કે, અજય અંકલ તેને લઈ ગયો અને તેની સાથે ખરાબ કામ કર્યું હતું. તેથી રિયાની માતાએ સાંજે તેનો પતિ ઘરે આવતા જ આ ઘટનાની જાણ કરી હતી અને સાંજે અજય આવતા જ તેને પકડી પાડ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આરોપી સવારે પિવાના પાણીનો બાટલો ઘરેઘરે નાખવાનું કામ કરે છે. તે પાંચ દિવસથી રિયાના ઘરે પાણીનો બાટલો નાખવા જતો હતો. આ કારણોસર રિયા તેને ઓળખતી હતી. તેમજ પીડિતા તેના પરિવાર સાથે પાંડેસરાના વડોદ ગામની સીમમાં રહે છે. તેઓ મૂળ બિહારના ઔરંગાબાદના રહેવાસી છે. તેણીના પરિવારમાં માતા-પિતા ઉપરાંત અન્ય ત્રણ ભાઈ-બહેન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *