20 હજાર રૂપિયાની દેતીદેતીમાં આધેડની હત્યા કરીને લાશ દાટી દીધી, જાણો ગુજરાતની હિચકારી ઘટના

અમદાવાદ(ગુજરાત): આજકાલ રાજ્યમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. નજીવી બાબત પણ હત્યા સુધી પહોચી જતી હોય છે. આ દરમિયાન ફરીવાર એક વ્યક્તિનો મૃતદેહ સરખેજમાં દટાયેલો મળી આવ્યો છે. જોકે, તેની હત્યાનું કારણ ખુબ જ ચોંકાવનારુ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, 5 દિવસથી ગૂમ આધેડની હત્યા કરી મૃતદેહને સરખેજની અવાવરું જગ્યા પર દાટી દેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં માત્ર ૨૦ થી ૨૫ હજાર રૂપિયાની લેતીદેતી મામલે આ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, 31 જુલાઈના દિવસે પોલીસ મથકમાં અવધેશસિંહ પરિચિત આ વ્યક્તિઓ સાથે ઘરેથી નીકળ્યો પરંતુ ઘરે ન પહોંચતા પરિવારજનો દ્વારા એમની તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બે ઓગસ્ટના રોજ પોલીસને આ બાબતની જાણ થયા બાદ પોલીસ તપાસમાં આ સમગ્ર હકીકત સામે આવી કે, અવધેશ સિંહ ભદોરીયાની હત્યા કરીને લાશને ઉજાલા સર્કલ સામે એક અવાવરૂ જંગલ જેવા વિસ્તારમાં ઝાડીઓની વચ્ચે દાટી દેવામાં આવી છે. હાલમાં સરખેજ પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ પર ખોદકામ કરી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે.

જાણવા મળ્યું છે કે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં અવધેશ સિંહ ભદોરીયાની ડેડ બોડી બહાર કાઢવાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસ દ્વારા છોટુ સિંહ નામના આરોપીની અટક કરી અને તપાસ દરમિયાન ઘટના સ્થળ સુધી પોલીસ પહોંચી હતી. હજી આ મામલામાં અન્ય આરોપીઓની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

જે ઓટોરિક્ષા મૃતક અવધેશ સિંહ ભદોરીયા ચલાવતો હતો તે રીક્ષા પણ આરોપીઓ હત્યા કર્યા બાદ અંબાજી જઈને મૂકી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા એ પણ રિકવર કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, માત્ર 20 થી 25 હજારની રૂપિયાની લેવડ-દેવડમાં આધેડ અવધેશ સિંહની હત્યા કરી નાખવામાં આવી છે. પોલીસ દ્વારા હવે અત્યારનો પણ ગુનાહિત ઈતિહાસ તપાસ કરવામાં આવી રહી છે તેમજ એ પણ તપાસ કરી રહી છે કે આખરે અવધેશ સિંહ ભદોરીયાની હત્યા કેવી રીતે કરવામાં આવી. જાણવા મળ્યું છે કે, આ સાથે જ ફોરેન્સિક તપાસ પણ કરાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *