સુરતમાં ચાર વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ માતાએ સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

સુરત(Surat):  શહેરમાં આત્મહત્યા(Suicide)ના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પ્રકારના જ સમાચાર સુરતના રાંદેરથી સામે આવી રહ્યા છે. જેમાં એક મહિલાએ પંખા સાથે…

સુરત(Surat):  શહેરમાં આત્મહત્યા(Suicide)ના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પ્રકારના જ સમાચાર સુરતના રાંદેરથી સામે આવી રહ્યા છે. જેમાં એક મહિલાએ પંખા સાથે લટકીને મોતને વ્હાલું કર્યું છે. આત્મહત્યા પહેલા લખેલી સુસાઈડ નોટ(Suicide note) પણ મળી આવી છે.

સુરતના રાંદેર રોડ પર આવેલ મીંઢોળા એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મહિલાએ પહેલા પોતામાં ચાર વર્ષના પુત્રની હત્યા કરી નાખી અને ત્યારબાદ બાળકની માતાએ પણ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, પતિ, સાસુ અને ભાભી સાથે અનૈતિક સબંધ હોવાને કારણે આ પ્રકારનું પગલું ભર્યું હતું. મહિલાએ આત્મહત્યા પહેલા સમગ્ર હકીકત એક સુસાઇડ નોટમાં લખી હતી. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મારો દીકરો જીવત તો તેની જિંદગી પણ ખરાબ થઇ જાત. મારા પુત્રને મારતા હું પણ ધ્રુજતી હતી અને રડતી હતી.

વધુમાં આ સુસાઈડ નોટમાં પતિ અને સાસુ અને ભાભી સાથે અનૈતિક સબંધ વિશે લખવામાં આવ્યું છે. જેને કારણે આ અંતિમ પગલા ભરવા સિવાય મારી પાસે અન્ય કોઈ રસ્તો નથી. હાલમાં તો પોલીસે આ સમગ્ર ઘટનાને ધ્યાને લઈને રાંદેર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *