જાણો કેટલી મોંઘી છે મ્યુકરમાઇકોસિસની સારવાર? લાખો રૂપિયાની સારવાર છતાં પણ…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે.

હાલમાં જોવા જઈએ તો મ્યુકરમાઈકોસિસ રોગ ખુબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે જેમાં ઘણા નાગરિકો આ રોગના ભરડામાં આવી ચુક્યા છે. ત્યારે સુરત શહરેમાં સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પીટલમાં હાલ ૧૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે ખાનગી હોસ્પીટલમાં આશરે ૫૦૦ દર્દીઓ મ્યુકરમાઈકોસિસની સારવાર હેઠળ દાખલ છે. જયારે ગઈ કાલે જ ૮ મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સર્જરી સરકારી હોસ્પીટલમાં કરવામાં આવી હતી. જોવા જઈએ તો આજ દિવસ સુધીમાં સરકારી હોસ્પીટલમાં કુલ ૫૬ જેટલી સર્જરી થઇ ચુકી છે. મ્યુકરમાઈકોસિસ રોગથી પીડિત દર્દીઓને લગાવવામાં આવતા ઇન્જેક્શનમાં ખુબ વધારે ખર્ચ થઇ રહ્યો છે. મ્યુકરમાઈકોસિસ સારવાર માટે કરવામાં આવતી સર્જરીનો ખર્ચ ખુબ જ વધી જાય છે.

1 દર્દીને 8 ઈન્જેક્શનથી લઈને 20 ઈન્જેક્શન મારવાં પડે છે:
સુરત શહેરના એક ઓપ્થેલ્મોલોજિસ્ટ ડોક્ટરે જણાવ્યું છે કે જો દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થાય તો એનું ભાડું 5000થી 25000 હજાર સુધીનું થાય છે. જો કોઈ સામાન્ય દર્દી મ્યુકરમાઈકોસિસથી પીડિત હોય તો તેમણે ૭ હજાર સુધીના કુલ ૮ ઇન્જેક્શન મારવા પડે છે  અને જો કોઈ મ્યુકરમાઈકોસિસથી પીડિત દર્દીની હાલત વધુ ગંભીર હોય તો તેને ૨૦ જેટલા ઇન્જેક્શન મારવાની ફરજ પડે છે. સાથે આ મ્યુકરમાઈકોસિસ બીમારી કાબુ બાર ચાલી જાય તો દર્દીની સર્જરી પણ કરવી પડે છે. જેના માટે અલગથી ૬ લાખથી ૭ લાખ સુધીનો ખર્ચો થઇ શકે છે.

દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે લાઈપોઝોમલ ઈન્જેક્શન:
મ્યુકરમાઈકોસિસની સારવાર કીડની અને કેન્સરની બીમારી કરતા પણ ખુબ વધુ ખર્ચાળ સાબિત થઇ થઇ રહી છે. મ્યુકરમાઈકોસિસથી પીડિત દર્દીને સારવાર માટે 1 મહિનામાં 12 લાખ થી 40 લાખ સુધીનો ખર્ચ કરવો પડે છે. મ્યુકરમાઈકોસિસથી પીડિત દર્દીઓ માટે હાલમાં લાઈપોઝોમલ ઈન્જેક્શન ઉપયોગમાં લેવાય છે. પીડિત દર્દીના વજન પ્રમાણે તેમના ડોઝ નક્કી કરવામાં આવે છે.

18 લાખના ખર્ચે ખરીદવામાં આવશે ઇન્જેક્શન:
મ્યુકરમાઈકોસિસથી પીડિત દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા ઇન્જેક્શન   અને દવાઓની પાલિકા દ્વારા ખરીદી કરવામાં આવશે. જયારે સ્મીમેર હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા ૧૨૦ જેટલા મ્યુકરમાઈકોસિસથી પિદીત દર્દીઓને આ લાભ આપવામાં આવશે. જેના માટે આશરે 12.87 લાખ રૂપિયાના ખર્ચે 100 એમજીની 4800 કેપ્સૂલ અને 200 એમજીના 4200 ઇન્જેક્શન ખરીદવા માટે ગઈ કાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે.

મ્યુકરમાઈકોસિસની સારવાર છે ખુબ જ ખર્ચાળ:
સ્થાયી ચેરમેન પરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વધારાના કામ તરીકે મુકવામાં આવેલુ કામ મ્યુકરમોઈકોસિસથી પીડિત દર્દીઓ માટે જરૂરિયાત મુજબની દવા ખરીદીનું હતું. દવાઓની માર્કેટમાં અછતને કારણે ઉપલબ્ધ કરાવવા નિર્ણય લેવાયો છે. જયારે આ દવા ભારતના એક્સક્લૂઝિવ મૂળ ઉત્પાદક કંપની ફાઇઝર પ્રા.લિ.ના ઓથોરાઇઝ્ડ સપ્લાયર યુનિક એન્ટરપ્રાઇઝ પાસેથી ખરીદવામાં આવશે. જેમાં ઇન્જેકશનની 18.07 લાખ કિંમત અને કેપ્સ્યૂલની 3.79 લાખ કિંમત છે. ઉલ્લેખનીય છે કે મ્યુકરમાઈકોસિસની સારવાર ખુબ જ ખર્ચાળ છે.

આ મ્યુકોરમાઇકોસિસ છે શું?
મ્યકોરમાયકોસિસએ એક પ્રકારની ફૂગથી થતો ઘાતક રોગ છે. આ ફૂગ આપણાં પર્યાવરણમાં સામાન્ય રીતે જમીનમાં જોવા મળે છે, મોટા ભાગે જમીન પર પડેલા સડતા પાંદડા, છાણ કે કોહવાતા કાર્બનિક પદાર્થોમાં આ ફૂગ પેદા થાય છે. આ ફૂગના કણો અથવા ફંગલ સ્પોર હવામાં હોય પણ સામાન્ય રોગ પ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોને આ ફૂગ બહુ અસર નથી કરતી. પણ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય અને અન્ય બીમારીઓ હોય તેમને એ ચેપ લગાડી શકે છે અને આ ચેપ ખુબ જ ગંભીર હોય છે.

કોરોનાકાળમાં રોગપ્રતિકારક તંત્રની અતિ સક્રિયતાને ઓછી કરવા દરેક દર્દીને સ્ટેરોઈડ અને ગણ્યા ગાંઠ્યા દર્દીઓને ટોસિલીજુમાબ જેવી દવાઓ આપવાની ફરજ પડે છે. મૂળે આ દવાઓ રોગ પ્રતિકારક તંત્રને નિયંત્રિત કરી શરીરને સાઇટોકાઇન સ્ટ્રોમથી બચાવી લે છે. પણ આમ કરવા જતાં શરીરની ઇમ્યુનિટીને (રોગપ્રતિકારક શક્તિ) થોડી ધીમી પડે છે. આ સ્થિતિનો લાભ આ ફૂગ ઝડપી લે છે.

કોરોના થયેલા કયા દર્દીઓને આ રોગ થઇ શકે છે?
જેની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય તેમને આ રોગ થવાની વધારેમાં વધારે શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને ડાયાબિટીસ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, લોહીના સફેદ ક્ણનું ખૂબ જ ઓછુ પ્રમાણ હોય, સ્ટેરોઈડની દવા ખૂબ લાંબા સમયથી ચાલુ હોય, આ બધા કેસમાં આ ચેપ લાગવાનો ભય રહે છે.

આ ચેપ કેવી રીતે લાગે છે?
આગળ જણાવ્યુ તેમ ફૂગના સૂક્ષ્મ કણો વાતાવરણમાંથી, જે નાક દ્વારા શરીરની અંદર ઘૂસી શકે છે. જો કે સારી વાત એ છે કે આ રોગ એક માણસમાંથી બીજા માણસમાં ફેલાતો નથી.

કેવી રીતે બચવું?
સદભાગ્યે આ ફૂગથી બચવા પણ માસ્કની જ સલાહ આપવામાં આવે છે. હયૂમીડીફાયર (નવું ભીનાશ વાળું ઓક્સિજન માસ્ક વાપરવો), ઓક્સિજન સિલિન્ડરના હયૂમીડીફાયરમાં પણ સાદું ઘરેલુ પાણીના બદલે નોર્મલ સલાઈનનું પાણી ભરવું. દરેક દર્દી માટે ઓક્સિજન માસ્ક તદ્દન નવું જ વાપરવું (ડીસ્પોસેબલ). સૌથી અગત્યની વાત ડાયાબિટીસને કાબુમા રાખવી ખુબ જરૂરી છે. અને નિષ્ણાત અને અનુભવી ડોક્ટરની સલાહ મુજબ વર્તવું જોઈએ.

પોસ્ટ કોવિડ અથવા કોવિડ પછીના મ્યુકોરમાયકોસિસના લક્ષણો
– અનિયંત્રિત ડાયાબિટીસ
– નાક બંધ– નાકમાંથી ડિસ્ચાર્જ (ડહોળાયેલું અથવા ગંદુ પાણી નીકળે)
– માથાનો દુખાવો
– આંખો આસપાસ દુખાવો
– આંખોમાં સોજો
– મોં અને નાકની ત્વચાના રંગમાં ફેરફાર (કાળી પડી જાય)

કેવી રીતે પકડી શકાય?
નેસલ (નાક ની) એન્ડોસ્કોપી (દૂરબીન) દ્વારા નાક અને સાયન્સનું પરીક્ષણ થાય છે. નાકમાંથી ગંદી વાસ આવતી હોય છે. સાથે સાથે નાકની અંદર વિચિત્ર રંગનું લીલાશ પડતું ડિસ્ચાર્જ હોય છે (ગંદુ પાણી નીકળે તો મ્યુકરમાયકોસિસની હાજરી હોવાની શક્યતા વધી જાય). લાળ, ગળફાં વગેરેનું લેબ ટેસ્ટિંગ થઈ શકે અથવા ટીશ્યૂ બાયોપ્સી દ્વારા પણ આ ફૂગની હાજરી જાણી શકાય છે. અત્યારે હાલ અત્યાધુનિક સી.ટી. સ્કેન અથવા MRI દ્વારા આ ફૂગની અસર ક્યાં અને કેટલા ભાગમાં થઈ છે તે શોધી કાઢવામાં આવે છે અને ત્યારબાદ સર્જરી કેવી રીતે કરવી એ નક્કી કરી શકાય છે.

સર્જીકલ સારવાર:
સર્જિકલ ઉપચાર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સર્જિકલ ઉપચાર ખૂબ સખત હોઈ શકે છે. આ રોગ નાકમાંથી પ્રવેશતો હોવાથી નાક, કાન અને ગળાના ડોક્ટર ફ્રન્ટ લાઈન વોરિયર (મુખ્ય સર્જન) તરીકે અગ્ર ભાગ ભજવે છે. નાક દ્વારા દૂરબીન નાખીને સાયનસમાં જામી ગયેલ કાળી ફુગને નિપુણતાથી એટલે કે કાળજીપૂર્વક સંપૂર્ણ પણે કાઢવી પડે છે, જેની માટે વિશેષ અભ્યાસ અને નાક, કાન અને ગળામાં ઉચ્ચ તાલીમ પામેલા ડોક્ટર જ સક્ષમ હોય છે. ઘણી વખત મ્યુકોરમાર્ઇકોસિસનો રોગ વધારે ફેલાઈ ગયો હોય, જેમાં આંખ, તાળવું પણ હોમાઈ ગયું હોય તો આ સડી ગયેલી આંખ અને તાળવું કાઢવા માટે નિષ્ણાત પ્લાસ્ટિક સર્જન અને આંખના સર્જનના સહયોગ જરૂરી છે. જો દર્દી અને સગાં સાવચેત ન રહે અને ઓપરેશન માટે ઢીલ કરે તો રોગ મગજમાં ઘુસી જઈને દર્દીના મોતનું કારણ બને છે.

મેડિકલ સારવાર:
ICMRના ગાઇડલાઇન્સ મુજબ લાઈપોસોમલ એમપ્ફોટેરિસીન બી (Liposomal Amphotericin B ) (Injection)આપવામાં આવે છે. જો આ દવા પણ કામ ના કરે તો કેસપોફંગીન (Caspofungin) તેની સાથે આપી શકાય. સર્જરી સાથે દવા તો ચાલુ જ રાખવામાં આવે છે.

મ્યુકરમાયકોસિસના કિસ્સા જૂજ જોવા મળે છે પણ તેમાં મૃત્યુદર ખૂબ જ ઊંચો છે. આ રોગ નવો નથી પણ છેલ્લા થોડા દિવસોમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં આ રોગનું અસ્વાભાવિક પ્રમાણ જોવા મળ્યું એટલે આ રોગ ચર્ચામાં આવ્યો છે પણ સાચી જાણકારી અને સારવાર વડે આ રોગથી પણ લડી જ શકાય છે. ખાસ તમને જણાવી દઈએ કે, આ લેખ માત્ર મેડિકલ જાણકારી સામાન્ય લોકોને મળે અને ખોટો ભય દૂર થાય તે માટે છે.

આવી પરીસ્થિતિમાં તમારે શું કરવું?
સૌથી પહેલા તો તમારી નજીકની ઇ એન.ટી. સર્જનની મુલાકાત લેવી જોઈએ. મ્યુકોરમાર્ઇકોસિસ ખૂબ જ ગંભીર અને જીવલેણ સ્થિતિ છે અને તેના માટે સમયસર અને આક્રમક વ્યવસ્થાપન જરૂરી છે. તે એક ડોકટરના બસની વાત નથી પરંતુ ડોકટર ટીમની જરૂર છે.

ઇએનટી અને સ્કલ બેઝ સર્જન, પ્લાસ્ટિક સર્જન, ઓક્યુલોપ્લાસ્ટિક સર્જન (આંખના સર્જન), એનેસ્થેસ્ટિસ્ટ,  ઇન્ટેન્સિવિસ્ટ, ચિકિત્સક (એમ.ડી. ફિઝિશિયન), માઇક્રોબાયોલોજિસ્ટ સાથે મળીને આપણે મ્યુકોરમાઈકોસીસ જેવી કોરોના પછીં (પોસ્ટ કોવિડ) આફતને હરાવી શકીએ છીએ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *