ભાજપના 12 સાંસદોમાંથી 11 નેતા છે કરોડપતિ, પહેલા નંબરે અમિત શાહ નહિ પણ આ નેતા છે

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ ચૂકી છે, ગુજરાતની 26 લોકસભા બેઠક પર 7 મેના રોજ મતદાન થવાનું છે.ત્યારે એક અહેવાલ મુજબ…

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ ચૂકી છે, ગુજરાતની 26 લોકસભા બેઠક પર 7 મેના રોજ મતદાન થવાનું છે.ત્યારે એક અહેવાલ મુજબ 12 ઉમેદવારોની સંપત્તિમાં એકમાત્ર ભરૂચના ઉમેદવાદરને બાદ કરતાં તમામ ઉમેદવારો કરોડપતિ છે. હવે પાંચ વર્ષ પછી આ ઉમેદવારોની સંપત્તિ(Lok Sabha Elections 2024) ક્યાં જઈને પહોંચશે તેની માહિતી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ થનારી એફિડેવિટમાં ધ્યાને આવશે.

સંપત્તિમાં ટોચનાક્રમે જામનગર-નવસારીના સાંસદ
એસોસિયેશન ફોરડેમોક્રેટીક રિફોર્મ્સ (ADR)ના જાહેર થયેલા (2019 લોકસભા) રિપોર્ટ અનુસાર સંપત્તિમાં ટોચક્રમે જામનગરના સિટીંગ સાંસદ પુનમ માડમ અને નવસારીના સીઆર પાટીલ છે. તેમના પછી ગાંધીનગરના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવે છે. આ ત્રણેયની સંપત્તિ 40 કરોડ ઉપર છે, જ્યારે ભરૂચના મનસુખ વસાવા પાસે માત્ર 0.68 લાખની સંપત્તિ છે. રિપોર્ટ અનુસાર ક્રિમિલન રેકોર્ડ ધરાવતા ચાર સંસદસભ્યો સામે ક્રિમિલન કેસો નોંધાયેલા અને અદાલતોમાં પડતર છે જેમાં આણંદના ભાજપના ઉમેદવાર તથા સિટીંગ સાંસદ મીતેશ પટેલ સામે આણંદની કોર્ટ સમક્ષ કેસ પડતર છે, જેમાં ચાર્જ ફ્રેમ કરાયો નથી. બીજો કેસ તેમની સામે વાસદ પોલીસ મથકનો છે, જેમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અપીલ પડતર છે.

અમીત શાહ સામે પશ્વિમ બંગાળમાં કેસ
કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમીત શાહ સામે પશ્વિમ બંગાળમાં કેસ પડતર છે. ખાસ ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા પ્રવચન એટલે કે આઈપીસી 153 એ અન્વયે ગુનો દાખલ કરાયેલો હતો. આ ગુનો મમતા સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં તેમણે કોલકત્તા હાઈકોર્ટ સમક્ષ અપીલ પણ કરેલી છે. તેમની સામે કુલ ચાર કેસો અદાલતમાં પડતર છે.તો બીજી તરફ જૂનાગઢના ભાજપના ઉમેદવાર અને સિટીંગ સાંસદ રાજેશ ચુડાસમા સામે પણ ત્રણ કેસો કોર્ટમાં પડતર છે, જેમાં એક મહિલા પર હુમ લો કરવો, ગુનો બન્યો ત્યારે તેમની હાજરી તેમજ ગુનાહિત રીતે પ્રોપર્ટી ભેગી કરવી તેનો સમાવેશ થાય છે. એ ઉપરાંત નવસારીના સાંસદ સીઆર પાટીલ સામે લિંબાયતમાં 2006માં પ્રોપર્ટી અંગેનો કેસ ચાલી રહ્યો હોવાની વિગતો સામે આવી છે.

2019ની એફિડેવિટ મુજબ સાંસદની સંપત્તિ

એડીઆર રિપોર્ટ સામે આવ્યો
એડીઆરના જણાવ્યા અનુસાર સાંસદોની એફિડેવિટમાંથી મહત્વની વિગતો જાણવા મળી છે. જેમાં ફોજદારી કેસનો સામનો કરી રહેલા 29 ટકા સાંસદ સામે ગંભીર આરોપો છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, કોમી તોફાનોને પ્રોત્સાહન, કિડનેપિંગ અને મહિલાઓ સામેના ગુનાનો સમાવેશ થાય છે. નવ સાંસદ સામે હત્યાના કેસ ચાલી રહ્યા છે, જેમાંથી પાંચ ભાજપના હોવાનું વિશ્લેષણની વિગતમાં જણાવાયું છે. વધુમાં, 28 વર્તમાન સાંસદોએ પોતાની સામે હત્યાના પ્રયાસનાં ગુના નોંધાયો હોવાનું જાહેર કર્યું છે, જેમાંથી 21 સાંસદો ભાજપના છે.