પ્રેમીએ પ્રેમિકાને સેંથો પૂરી મંગળસૂત્ર પહેરાવ્યું અને કુદી પડ્યા ધસમસતી કેનાલમાં

વાઘોડિયા(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા…

વાઘોડિયા(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રેમ પ્રકરણના મામલામાં પણ પ્રેમી જોડાના આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

ટીંબી ગામના પ્રેમી પંખીડાએ કેનાલમાં કુદીને પોતાનું જીવન ટૂંકાવ્યુ છે. એક જ ગામનાં વિભા ઉર્ફે ગૌરી અને જયદીપ એકબીજાનાં પ્રેમમાં હતા. પરંતુ તેમની સગાઈ અન્ય જગ્યાએ થઇ હોવાને કારણે બંનેને લાગતું હતું કે, તેઓનો પરિવાર તેમની વાત નહીં સાંભળે અને બીજે પરણાવી દેશે. તેને કારણે એકબીજા સાથે જીવવાના શબ્દ આપેલા પ્રેમીઓ એકસાથે જ મોતને ભેટી ગયા છે. આ લોકોના મૃતદેહ હજુ કેનાલમાંથી મળી આવ્યાં નથી. તેમની શોધખોળ ફાયર બ્રિગેડનાં જવાનો કરી રહ્યાં છે. યુવક યુવતીના આ આખરી પગલા પછી બંને પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 19 વર્ષની વિભા ઉર્ફે ગૌરી શામળભાઈ ગોહિલ તથા 21 વર્ષના જયદીપભાઇ બુદ્ધિસાગર ગોહિલ એકબીજાના પ્રેમમાં હતા. પરંતુ પરિવાર અને સમાજ તેમના સંબંધને સ્વીકારશે નહિ એમ માનીને બંને પ્રેમી-પંખીડાંએ મોતને પસંદ કર્યું છે. ગત રોજ જયદીપ બાઈક પર બેસાડી વિભા ઉર્ફે ગૌરીને લઈ ગયો હતો. બંનેએ પોતાની પાસે આધારકાર્ડ, નવાં કપડાં, મંગળસૂત્ર, સિંદુર રાખ્યા હતા.

પોતાની પાસે રહેલા સિંદૂરથી પ્રેમીએ પ્રેમિકાનો સેંથો પૂર્યો હતો. સાથે ગળામાં મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું. ત્યારબાદ બંનેએ મોબાઇલમાં સેલ્ફી લઇ લીધી હતી. ત્યારબાદ આ પ્રેમી પંખીડા ખંડીવાડા અને અડીરણ વચ્ચે મુખ્ય નર્મદા કેનાલ પાસે કુદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. બંને યુવક યુવતીએ પોતાનો સામાન, મોબાઈલ, કપડાંની થેલી, પર્સ બધું જ કેનાલ પાસે પાર્ક કરેલી બાઈકની પાસે મૂક્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *