બ્રેકીંગ ન્યુઝ: કાશ્મીરમાં થયો મોટો આંતકી હુમલો, ભાજપના નેતા અને તેમના પત્નીની કરવામાં આવી હત્યા

જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓની કાળી કરતુત સામે આવી છે. કાશ્મીરના લાલ ચોક ખાતે આતંકવાદીઓએ અચાનક ભાજપના નેતા પર હુમલો કર્યો છે. આ હુમલામાં ભાજપના નેતા અને તેમની પત્નીનું દર્દનાક મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકીઓએ આ ઘટનાને જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના લાલ ચોક ખાતે અંજામ આપ્યો હતો. તેઓએ એક દંપતી પર ખુલ્લેઆમ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ દંપતીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર, આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા દંપતી ભાજપના હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ કુલગામ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ગુલામ રસૂલ ડાર અને તેમની પત્નીની ગોળી મારીને હત્યા કરી હતી. ભાજપના નેતા ગુલામ રસૂલ તેની પત્ની સાથે અનંતનાગના લાલ ચોક ગયા હતા. અહીં પહેલેથી જ કરવામાં આવેલ પ્લાન મુજબ આતંકવાદીઓએ ગોળીઓ ચલાવીને તેમની હત્યા કરી હતી.

આ મામલે માહિતી આપતા જમ્મુ -કાશ્મીરના ભાજપના નેતા અલ્તાફ ઠાકુરે જણાવ્યું હતું કે, ભાજપ કિસાન મોરચાના નેતા ગુલામ રસૂલ તેમની પત્ની સાથે લાલ ચોક ગયા હતા. પરંતુ અહીં તેને આતંકવાદીઓએ નિશાન બનાવ્યો હતો. તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભાજપના નેતાઓ આતંકવાદીઓ દ્વારા સૌથી વધુ નિશાન બને છે. આ પહેલા જૂનમાં આતંકીઓએ પુલવામામાં ભાજપના નેતા રાકેશ સોમનાથ પંડિતાની ગોળી મારીને હત્યા કરી હતી. બીજી બાજુ ભાજપના વસીમ બારી, શબ્બીર અહમદ બટની આતંકવાદીઓએ હત્યા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *