મામી ભાણીયાના લવ લફડાએ સંબંધ કર્યા શર્મસાર

Published on Trishul News at 4:48 PM, Mon, 25 September 2023

Last modified on September 25th, 2023 at 4:48 PM

ઉત્તર પ્રદેશના બરેલીથી મામી ભાણેજ સંબંધોને શરમજનક બનાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ભાણીયા અને મામી વચ્ચે પ્રેમસંબંધ (Mami Bhanja affair) ચાલી રહ્યો હતો. જેના કારણે ભાણીયા એ પોતાના જ મામાની હત્યા કરી હતી. ખરેખર પોલીસ હત્યા કેસની તપાસ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને કંઈક એવું જાણવા મળ્યું કે પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસને ખબર પડી કે હત્યા કરનાર વ્યક્તિની પત્નીને તેના ભાણીયા સાથે અફેર હતું. અહીંથી સમગ્ર મામલો બહાર આવવા લાગ્યો હતો.

પોલીસને ખબર પડી કે છોકરીના લગ્ન પહેલાથું જ મામી અને ભાણીયા વચ્ચે અફેર (Mami Bhanja Affair) ચાલતું હતું. યુવતીએ પોતે તેના પ્રેમી અને તેના મિત્રો સાથે મળીને તેના જ પતિની હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલામાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે.

લગ્ન પહેલાથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું

વાસ્તવમાં, આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ફતેગંજ પૂર્વ પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે. આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, મૃતકની પત્નીને લગ્ન પહેલા પ્રેમસંબંધ હતો, પરંતુ લગ્ન બાદ મૃતક મામા રામવીર બંનેના પ્રેમસંબંધમાં વચ્ચે આવતો હતો.

આવી સ્થિતિમાં મૃતકની પત્નીએ તેના પતિને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી હતી. પ્રેમીએ તેના મિત્રોને પણ આ કાવતરામાં સામેલ કર્યા અને પોતાની મરજીથી તેના મામાની હત્યા કરી નાખી. આરોપી પત્નીએ વિચાર્યું કે તેના પતિને રસ્તાથી દૂર રાખ્યા બાદ તે અને આરોપી યુવક સાથે રહેવા લાગશે.

પોલીસે શું કહ્યું?

આ મામલાની માહિતી આપતાં એસપી દેહત મુકેશ મિશ્રાએ કહ્યું, “રામવીર નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ બાબતનો ખુલાસો થયો છે. પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. એક આરોપીનું નામ માનવેન્દ્ર છે, જે મૃતકનો દૂરનો ભાણીયો છે. માનવેન્દ્રએ આ કાવતરામાં મિત્ર સૌરભનો પણ સમાવેશ કર્યો હતો. આ સાથે પોલીસે મૃતકની પત્ની આરતીની પણ ધરપકડ કરી છે. આ ઘટનાનું કારણ મૃતક રામવીરની પત્નીનું તેના દૂરના ભાણીયા સાથે પ્રેમ પ્રકરણ હતું. જેના કારણે આ હત્યા કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published.


*