વડોદરામાં પંચાલ પરિવારનો સામૂહિક આપઘાત: પુત્ર અને પત્ની સાથે ઝેરી દવા ગટગટાવી, માતા-પુત્રનાં મોત

Family suicide in Vadodara: ગુજરાતના વડોદરા શહેરમાં આજે એક ચોકવાનારી ઘટના સામે આવી રહી છે. જેમાં શેરમાં એક પરિવારએ સામુહિક આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં 2નાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરાની છે. સામૂહિક આપઘાતની(Family suicide in Vadodara) ઘટનામાં માતા-પુત્રનું મોત નિપજ્યું છે, જ્યારે પિતા સારવાર હેઠળ છે. હાલ ઘટનાને પગલે પોલીસ કાફલે ઘટના સ્થળે દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા?
વડોદરામાં સામૂહિક આપઘાતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી રહ્યું છે. આ દુ:ખદ ઘટના કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારની છે, જ્યાં સિક્યુરિટીમાં કામ કરતા પિતાએ સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આર્થિક સંક્રમણના કારણે આપઘાત કરવાનું માહિતી મળી રહી છે. આ ઘટનામાં માતા નયનાબેન અને પુત્ર મિતુલનું મોત નિપજ્યું છે. જ્યારે મુકેશભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ઘરમાં પ્રવેશીને વધુ તપાસ પણ હાથ ધરી હતી. જેમાં માતા-પુત્રનું મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે પિતાને ગંભીર હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આખરે કેમ પરિવારે સામૂહિક આપઘાતનો નિર્ણય લીધો? તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આ પગલું ભરતાં પહેલા કોઇ સ્યુસાઇટ નોટ લખી હતી કે કેમ? તે દિશમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *