18થી 20 પેસેન્જરને લઇને સુરતથી જઇ રહેલી બસને નડ્યો ગોઝારો અકસ્માત, બેના દર્દનાક મોત- જુઓ ધ્રુજાવી દેતા દ્રશ્યો

ગુજરાત (Gujarat): મહેસાણા (Bus accident near Mehsana)માં લક્ઝરી બસને ગમખ્વાર અકસ્માત (Mehsana Bus Accident) નડ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, મહેસાણાના નંદાસણ (Nandasan) પાસે લક્ઝરી બસ પલટી મારી જવાને કારણે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ અકસ્માતમાં બે લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે, જ્યારે 6 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. લક્ઝરી બસ સુરતથી જોધપુર જઇ રહી હતી ત્યારે નંદાસણ પાસે આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, 18થી 20 પેસેન્જરને લઇને સુરતથી જોધપુર જઇ રહેલી લક્ઝરી બસને મહેસાણા નજીક અકસ્માત નડ્યો છે.

આ અકસ્માતમાં બસ પલટી મારી જવાને કારણે બે લોકોના મોત થયા છે જેમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.

ગમખ્વાર અકસ્માતની આ ઘટનામાં 5થી 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનાને પગલે આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને અકસ્માતની જાણ કરવામાં આવી હતી.

બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને બાદ ત્રણ ક્રેઇનની મદદથી પલટી ગયેલી લક્ઝરીને રસ્તા પરથી દૂર કરવાની વધુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *