પોલીસની આંખ નીચેથી ફરાર થયેલો બળાત્કારી કેટલાય વર્ષો પછી અમદાવાદથી ઝડપાયો

દાહોદ(ગુજરાત): દુષ્કર્મના ગુનામાં 7 વર્ષની સજા ભોગવી રહેલા કેદીને સારવાર માટે વડોદરા દવાખાને લાવતી વખતે યુવક પોલીસ કબજામાંથી ફરાર થઇ ગયો હતો. તે સાડા ત્રણ વર્ષે દાહોદ એસઓજીની તપાસમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી મળી આવતાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

એસઓજી શાખાના PI એચ.પી. કરેણે તપાસ હાથ ધરી હતી. રાજુ દલસિંગ નિનામા જે દુષ્કર્મના ગુનામાં 7 વર્ષની સજા આપ્યા બાદ સાડા 3 વર્ષ પહેલા વડોદરાથી ફરાર થયેલો આરોપી અમદાવાદના નિકોલ વિસ્તારમાં મજૂરી કામ કરતો હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસે તપાસ બાદ રાજુની અમદાવાદથી ધડપકડ કરવામાં આવી હતી.

વર્ષ 2017માં દાહોદ તાલુકા પોલીસ મથકે રાજુ વિરુધ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. 7 વર્ષની સજા બાદ તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં 83580 નંબરના પાકા કામના કેદી તરીકે મોકલી દેવાયો હતો. તબિયત ખરાબ થતાં રાજુને પોલીસ કાફલા સાથે દવાખાને લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી પોલીસ કર્મચારીઓની નજરથી બચીને તે ફરાર થતા રાવપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ અંગેની દાહોદ એસઓજીએ રાજુને દાહોદ તાલુકા પોલીસને સોંપતા  વડોદરા જાણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *