પાકિસ્તાનમાં છેલ્લા 76 વર્ષથી થઇ રહી છે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી- ત્યાના લોકોએ જે કહ્યું એ જાણી…

ગણેશ ચતુર્થી આજે દેશમાં લોકપ્રિય છે. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ ધૂમ ધામ સાથે ઉજવવામાં આવે છે, તેમજ બાપ્પાએ દેશના ઘણા ભાગોમાં ઘરે ઘરે પ્રવેશ કર્યો છે. તેમની દસ દિવસ પૂજા કરવામાં આવે છે, બાપ્પાને વિવિધ પ્રકારનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને આખા ગણેશ ઉત્સવ પછી ગણેશજી અનંત ચતુર્દશીના દિવસે જબરદસ્ત ધામ ધૂમથી જળમાં વિસર્જિત કરવામાં આવે છે. આ વખતે અનંત ચતુર્દશી 1 સપ્ટેમ્બરના રોજ છે.

પાકિસ્તાનના કરાચીમાં પણ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. મંદિરમાં મોટા પંડાલો, શંખનાદ કરતા શ્રદ્ધાળુઓ, મહારાષ્ટ્રના પરંપરાગત પોશાકમાં લાલ બંગડીઓ પહેરેલી મહિલાઓ આરતી ગાય છે અને ભક્તો ભજન-કીર્તન કરી રહ્યા છે. અહીં ભક્તો ‘મોર્યા રે બાપ્પા મોર્યા રે …’  પર ઝૂલતા જોવા મળ્યા. કરાચીના જિન્ના માર્ગ પર રહેતા 800 થી વધુ મહારાષ્ટ્રિયન પરિવારો વર્ષોથી ગણપતિ ઉત્સવની ઉજવણી કરે છે. રત્નેશ્વર મહાદેવ મંદિર, ગણેશ મઠ મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાં તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

ગણેશોત્સવની શરૂઆત 76 વર્ષ પહેલા થઈ હતી…
કૃષ્ણ નાઈક દ્વારા 76 વર્ષ પહેલા ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ભાગલા બાદ તેઓ કરાચી સ્થાયી થયા હતા. કૃષ્ણ પછી તેમના પુત્ર રાજેશ નાઈક અને હવે તેમની નવી પેઢી આ પરંપરાને આગળ ધપાવી રહી છે. કૃષ્ણ નાઈકના પુત્ર રાજેશ નાઈક અને ઉત્સવમાં સામેલ લોકો કહે છે કે આદર અને ભક્તિનો આ સંગમ આખું વર્ષ આપણને શક્તિ આપે છે.

કરાચીના સામાજિક કાર્યકર અને કરાચી મરાઠી સમુદાયના સભ્ય વિશાલ રાજપૂત કહે છે કે ઉત્સવમાં માત્ર ભાગ લેવાથી અમને આત્મવિશ્વાસ મળે છે કે બાપ્પા દરેક રીતે આપણું રક્ષણ કરશે. આ જ કારણ છે કે સમગ્ર પાકિસ્તાનમાં કરાચીમાં સૌથી વધુ ભક્તો છે.

રાજેશ નાઈક પોતે મૂર્તિ બનાવે છે…
ગણેશોત્સવની પરંપરા શરૂ કરનાર કૃષ્ણ નાઈકનો પુત્ર રાજેશ ઓર્ડર લઈ મૂર્તિઓ બનાવે છે. હવે ભક્તો ઘરે પણ મૂર્તિ  બનાવે છે.

મુસ્લિમ પરિવારો પણ શામેલ થાય છે…
વિશાલ રાજપૂતે જણાવ્યું હતું કે કરાચીમાં મોટી સંખ્યામાં હિન્દુઓ રહે છે. દર વર્ષે એમ.એ. જિન્ના માર્ગ પરથી ગણપતિની શોભાયાત્રા નીકળે છે, પરંતુ હજી સુધી બંને સમુદાયના લોકો વચ્ચે કોઈ સંઘર્ષ થયો નથી. જ્યારે પણ ભારત અને પાકિસ્તાનમાં તણાવનું વાતાવરણ હોય છે, ત્યારે તેની અહીં અસર થતી નથી. અહીં મુસ્લિમ પરિવારો પણ આ ઉત્સવમાં ભાગ લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *