વંદે ભારત મિશન હેઠળ હજારો ભારતીયોને એરલીફ્ટ કરાશે- જાણો કોણ ચૂકવી રહ્યું છે ખર્ચો

કોરોનાવાયરસને કારણે દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે સરકારે વંદે ભારત મિશન ગુરૂવારના રોજ શરૂ કરી દીધું છે. મિશનના બીજા દિવસે આજે પાંચ અલગ અલગ દેશ…

કોરોનાવાયરસને કારણે દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે સરકારે વંદે ભારત મિશન ગુરૂવારના રોજ શરૂ કરી દીધું છે. મિશનના બીજા દિવસે આજે પાંચ અલગ અલગ દેશ માંથી એક એક ફલાઈટ આવશે. બાંગ્લાદેશથી 167 લોકો આવશે.બાકી દેશોમાંથી આવનારી ફ્લાઇટમાં કેટલા લોકો આવશે તેની સ્પષ્ટ જાણકારી મળી રહી નથી.

કેરલ આવેલા પાંચ લોકોમાં કોરોનાના લક્ષણો

પહેલી ફ્લાઈટ અબુધાબીથી 177 ભારતીયોને લઈ ગુરૂવાર રાત્રે 10 વાગ્યે અને 9 મિનિટ પર કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી. પાંચ લોકોમાં કોરોનાવાયરસના લક્ષણ દેખાવાથી તેમને આઇસોલેશન વોર્ડમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી ફ્લાઇટ દુબઈથી 182 યાત્રીઓને લઈને રાત્રે લગભગ 10 વાગીને 45 મિનિટે કોઝીકોડ પહોંચી.

વંદે ભારત મિશનના પહેલા ફેઝમાં 14800 લોકો ભારત આવ્યા

૭ મેથી શરૂ થયેલા આ મિશનનો પહેલો ફેજ 13 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન ૧૨ દેશમાંથી 64 વિમાનો દ્વારા 14800 લોકોને લાવવાની યોજના છે. જોકે તેમાં કેટલાક ફેરફાર થઇ શકે છે. પરંતુ 1990ના ખાડી યુદ્ધ બાદ આ સૌથી મોટું ઓપરેશન છે. ખાડી યુદ્ધ સમયે 1.70 લાખ ભારતીયોને એર લિફ્ટ કરવામાં આવ્યા હતા.

મુસાફરોએ ફ્લાઇટનું ભાડું ચૂકવવાનું રહેશે

વિદેશમાં ફસાયેલા લોકોને લાવવા માટે સરકારે જે નિયમો નક્કી કર્યા છે તેના અનુસાર લોકોને ફ્લાઇટનું ભાડું જાતે જ આપવાનું રહેશે. અમેરિકાથી આવનારી ફ્લાઇટનું ભાડું સૌથી વધારે એક લાખ રૂપિયા થશે. લંડનથી આવનારને પચાસ હજાર રૂપિયા આપવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *