‘હું મરવા જાવ છું, બેગમાં પૈસા છે અંતિમસંસ્કાર કરી નાખજો’ કહી પરણીતાએ પાંચ વર્ષની બાળકી સાથે તળાવમાં જંપલાવ્યું

દેવતાહા ગામમાંથી ખુબ જ દુઃખના સમાચાર સામે આવ્યા છે. ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો જ્યારે તળાવમાંથી એક મહિલા અને તેની પાંચ વર્ષની બાળકીના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

તમને જણાવી દઈએ કે દેવતાહા ગામના રહેવાસી રમેશના લગ્ન 2009માં માનસી સાથે થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે માનસીના પરિવારમાં અવારનવાર વિવાદ થતો હતો. 16 નવેમ્બરના રોજ માનસીના હાથમાંથી દવાની બોટલ પડી ગઈ, ત્યાર પછી ઘરમાં જોરદાર વિવાદ થયો. જે બાદ માનસી ગુસ્સામાં ઘર છોડીને જતી રહી હતી. સંબંધીઓએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. (નામ બદલ્યા છે)

જ્યારે પોલીસ તપાસ કરવા ઘરે પહોંચી તો તેમને મૃતકના મોબાઈલમાંથી કોલ રેકોર્ડિંગ મળ્યું. જેમાં મૃતકે છેલ્લીવાર રેકોર્ડીંગ કર્યું હતું. રેકોર્ડીંગમાં જણાવતા કહ્યું કે, ‘હું ગામના તળાવમાં મારવા જાવ છું.’ વધુમાં કહ્યું કે, ‘પૈસા બેગમાં છે, મારા અંતિમ સંસ્કાર કરી નાખજો.’ આ પછી પોલીસ તળાવ પર પહોંચી અને માતા-પુત્રીની લાશ બહાર કાઢી. આ અંગે પોલીસ અધિક્ષકે જણાવ્યું કે વોઈસ રેકોર્ડીંગના આધારે પ્રાથમિક દ્રષ્ટિએ આ આપઘાતનો મામલો જણાઈ રહ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ દરમિયાન મૃતક માનસીના પિતા અને ભાઈ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. માનસીના ચહેરા પર ઈજાના નિશાન જોયા બાદ તેણે માનસીની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દીધી હોવાની શંકા વ્યક્ત કરી છે. સંબંધીઓની અપીલ પર પોલીસે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *