અંતે બીમારી સામે જિંદગીની જંગ હારી માતા- સુરતમાં 3 વર્ષની દીકરીને ગળે ફાંસો આપ્યા બાદ પોતે પણ કર્યો આપઘાત

Mother daughter Mass Suicide in surat: સુરતના મોટા વરાછા વિસ્તારમાં પુત્રીની હત્યા અને માતાના આપઘાતની ચકચારી ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે. એક માતાએ પોતાની 3 વર્ષની દીકરીને ગળે ફાંસો આપી મોત આપ્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો છે. માતા અને પુત્રી બીમારીથી કંટાળીને બંનેમાં દીકરીએ સામુહિક આપઘાત કર્યો હોવાનું હાલ સામે આવી રહ્યું છે. પુત્રીનું જન્મજાત કિડનીની બીમારી હતી, જ્યારે માતા છેલ્લા ઘણા વર્ષોથી પિતની બીમારીથી પીડાઈ રહી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા ઉતરાણ પોલીસનો સ્ટાફ તરત જ ઘટના સ્થળે પહોંચી માતા-પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેમોકલવામાં આવ્યા છે.

મોટા વરાછા વિસ્તારમાં આવેલા શિવાંતા બિલ્ડિંગમાં રહેતા કેયુર કથેરીયા કન્સ્ટ્રક્શન કામ કરી રહ્યા છે. તેમના ઘરે તેમની પત્ની રીંકુલ કેયુર કથેરીયા અને તેમની ત્રણ વર્ષની દીકરી વિવાહ કથીરિયા સાથે પિતા માતા અને ભાઈ ઘણા સમયથી સાથે રહે છે. ત્યારે કાલે બપોરે પછી તેમના ઘરે કોઈ ન હતું ત્યારે રિંકલ કેયુર કથીરિયાએ તેમની ત્રણ વર્ષની દીકરી વિવાહ કથીરિયાને ગળું દબાવીને પોતાના જીવનને ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર, આ બંને માં દીકરીએ સામૂહિક આપઘાત કરી લીધો છે.

રીંકલ કથીરિયાના ઘરે તેના પતિ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોવાથી તેઓ પોતે ધંધાર્થે બહાર ગયા હતા. તેમનો ભાઈ મેડિકલની દુકાન ચલાવતો હોવાથી તેઓ પણ ઘરે ન હતા અને તેમના સસરા નોકરી કરતા હોવાથી તેઓ પણ ઘરમાં ન હતા. તેમની સાસુ મંદિરે પૂજા કરવા ગયા હોવાથી આ દરમિયાન તેમના ઘરમાં સાંજના સમયે કોઈ ન હતું. તે દરમ્યાન રિંકલબેન કથીરિયાએ પોતાની ત્રણ વર્ષની બાળકીને ગળેટૂંકો આપી મોતને ઘાટ ઉતારી અને તે પછી પોતે પણ ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. જ્યારે રીંકલબેનની સાસુ પૂજા કરી ઘરે આવ્યા હતા ત્યારે તેમની વહુ અને પૌત્રીના મૃતદેહ જોતા તેઓ આઘાતમાં સારી પડ્યા હતા.

રીંકલબેન કથેરીયાએ આપઘાત કર્યો હોવાની જાણ થતા જ તેમને તાત્કાલિક જ પોતાના પુત્ર અને પતિને જાણ કરી હતી. જેને લઇ તેઓ તાત્કાલિક ઘરે પહોંચી આવ્યા હતા. તે પછી સમગ્ર ઘટનાની જાણ ઉતરાણ પોલીસને કરવામાં આવી ત્યારે પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે માતા અને ત્રણ વર્ષની પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને પરિવારને પૂછપરછ હાથ ધરી છે.

પોલીસ જ્યારે તપાસ કરી રહ્યો હતો ત્યારે તેમને જાણવા મળ્યું છે કે, માતા અને પુત્રી એક બીમારીના કારણે કંટાળીને તેઓએ સામૂહિક આપઘાત કર્યો છે. પોલીસને મળેલી માહિતી અનુસાર, ત્રણ વર્ષની પુત્રી વિવાહ કથીરિયા જન્મજાત કિડનીની બીમારીથી પીડિત હતી જ્યારે તેમની માતા રીંકલબેન કથીરિયા છેલ્લા ઘણા વર્ષોથી પિત્તની બીમારીથી પીડાઈ રહ્યા હતા અનેક ડોક્ટરની દવાઓ કરવા છતાં તેમની બીમારીમાંથી રાહત મળતી ન હતી. જેને લઇ આખરે બીમારીથી કંટાળીને માતાએ પહેલા પુત્રીની હત્યા કરી અને તે પછી પોતે ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *