ગોચરની જમીન પર મુસ્લિમ તાંત્રિકે બનાવી દીધું આશાપુરા માતાજીનું મંદિર, જેને લીધે હિંદુઓમાં રોષ 

ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામે ગોચરની જમીન પર કથિતપણે મુસ્લિમ તાંત્રિકે કોઈ પણ જાતની પરમીશન વગર જ હિંદુ ધર્મના દેવી-દેવતા માટે પાક્કું બાંધકામ ઉભું કરી…

ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામે ગોચરની જમીન પર કથિતપણે મુસ્લિમ તાંત્રિકે કોઈ પણ જાતની પરમીશન વગર જ હિંદુ ધર્મના દેવી-દેવતા માટે પાક્કું બાંધકામ ઉભું કરી દીધું છે. આ મુસ્લિમ તાંત્રિકની વિરૂદ્ધ વાલિયા તાલુકાના હિંદુ કાર્યકર્તા દ્વારા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આવેદન પત્રમાં લખવામાં આવ્યું છે કે, કોંઢ નજીક વિદ્યાર્થી માટે યુપીએલ યુનિવર્સિટી તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની અવરનવર થતી દેશવિરોધી પ્રવૃત્તિ પર આશંકા છે. મુસ્લિમ તાંત્રિકે હિંદુ દેવી-દેવતાનું મંદિર બનાવી દેતાં ભક્ત સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. જેને લીધે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામે હિંદુ ધર્મના સામાજિક કાર્યકર્તા સતીશભાઈ કે.વસાવા અને પુષ્પરાજસિંહ ભટારા સહિત તેમના હિંદુ કાર્યકર્તાએ ગુરુવારે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે, વાલિયા તાલુકાના કોંઢ ગામના ગોચરમાં ત્રાહિત અન્ય સમાજની વ્યક્તિએ અવૈધ બાંધકામ કરતાં હિંદુ સમાજની લાગણી દુભાઈ રહી છે. કોંઢની સીમમાં સરવે નં.462 જે રેવન્યુ રેકર્ડ પર ગોચરના નામે નોંધાઈ છે.

સાથે સાથે આવેદન પત્રમાં લખ્યું છે કે, કોંઢ ગામના સરપંચ તેમજ તલાટી કમ મંત્રીના મેળાપીપણામાં આસીફભાઇ નામના તાંત્રિક દ્વારા રૂપિયા લઇ સારવારના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનું ગુનાહિત કૃત્ય કરવામાં આવે છે.  આ ગોચરની જમીન પર કોઈ પણ પ્રકારની પરમીશન લીધા વગર પાક્કું બાંધકામ કરવામાં આવેલ છે.

હિંદુ સમાજની લાગણી દુભાય તે રીતે મુસ્લિમ તાંત્રિકે આશાપુરા માતાજીનું મંદિર બનાવી પ્રાણપ્રતિષ્ઠા કરી છે અને મુસ્લિમ દ્વારા તાંત્રિક વિધિ કરાય છે. જેને કારણે હિંદુ ભક્ત સમાજની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. વધુમાં આવેદનપત્ર આપતા જણાવ્યું છે કે, આ જગ્યાની પાસે નવી પેઢી માટે યુપીએલ યુનિવર્સિટી આવેલી છે. ગોચરમાં શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવર થતી હોવાને કારણે દેશવિરોધી પ્રવૃત્તિ થતી હોવાની આશંકા છે. જેને લીધે તાત્કાલિક ધોરણે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *