લાલબાગના રાજાની ટક્કર મારી હૈદરાબાદી ગણપતિએ- પ્રસાદમાં વેચાશે 750 કિલોગ્રામ નો લાડુ

દર વર્ષે ગણપતિ વિસર્જન નો અદભૂત નજારો મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આ વખતે પણ, ‘મહારાષ્ટ્રના લાલબાગકા રાજા’માં ચંદ્રયાન -2 થીમ આધારિત ગણેશ મૂર્તિ સૌથી વધુ…

દર વર્ષે ગણપતિ વિસર્જન નો અદભૂત નજારો મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આ વખતે પણ, ‘મહારાષ્ટ્રના લાલબાગકા રાજા’માં ચંદ્રયાન -2 થીમ આધારિત ગણેશ મૂર્તિ સૌથી વધુ ચર્ચામાં હતી, પરંતુ હૈદરાબાદ પણ પાછળ નથી.

સવારે 7 વાગ્યાથી હૈદરાબાદના ખૈરતાબાદ ખાતે 61 ફૂટ ઉંચી ગણેશ મૂર્તિ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુંબઇના લાલ બાગના રાજાની મૂર્તિની જેમ, હૈદરાબાદમાં પણ આ મૂર્તિનું દર્શન લોકપ્રિયતા મેળવી રહ્યું છે.

ભગવાન ગણેશની આ મૂર્તિનું વજન આશરે 50 ટન છે, જે બનાવવા માટે એક કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. શ્રીગણેશની આ મૂર્તિનું હુસેન સાગર તળાવમાં વિસર્જન કરવામાં આવશે.

આ વિશાળ પ્રતિમાને વિસર્જન ઘાટ પર લઈ જવા માટે 26 ટાયર ટ્રકની વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરના 1 વાગ્યા સુધી સુરક્ષા કર્મીઓ પ્રતિમાને સુરક્ષિત રીતે વિસર્જન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે,આ વર્ષે અહીં ભગવાન ગણેશને 750 કિલો લાડુ પણ ચડાવવામાં આવ્યા હતા. આ લાડુ આજે પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવશે. તે જ સમયે, ગણપતિની મુંબઈના લાલબાગચા રાજા પંડાલની વિદાય પણ પૂરજોશમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *