ફોનમાં વાતચીત દરમિયાન PM મોદીએ રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિને કહી દીધી આ ચોખ્ખી ચટ વાત

Russia Ukraine News: રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(President Vladimir Putin) સાથે લગભગ 50 મિનિટ સુધી વાત કરી હતી. તેમણે એ હકીકત પર સૌથી વધુ ભાર મૂક્યો હતો કે, ભારતીયોને સલામત રીતે યુદ્ધ-ક્ષેત્રમાંથી બહાર જવા દેવા જોઈએ. તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીતની પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ રશિયા દ્વારા યુદ્ધવિરામની ઘોષણા અને માનવતાવાદી કોરિડોરના નિર્માણની પણ પ્રશંસા કરી.

આજે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી
આ પહેલા પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે લગભગ 35 મિનિટ સુધી વાત કરી હતી. બંને નેતાઓએ યુક્રેનની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે સતત વાતચીત માટેના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

ઝેલેન્સકી સાથેની તેમની વાતચીત દરમિયાન, તેમણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બચાવવા માટે યુક્રેનની સરકારને મદદ કરવા બદલ ઝેલેન્સકીનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તેમને આશા છે કે યુક્રેનની સરકાર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવાના પ્રયાસોમાં મદદ કરતી રહેશે.

યુદ્ધ વચ્ચે ત્રીજી વખત પુતિન સાથે કરી વાત
વડાપ્રધાન મોદીએ 24 ફેબ્રુઆરીની રાત્રે પુતિન સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ રશિયાએ યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતનું સમર્થન માંગ્યું હતું. 2 માર્ચે બંને નેતાઓએ બીજી વખત વાતચીત કરી હતી. જેમાં યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

24 ફેબ્રુઆરીના રોજ, ઝેલેન્સકી સાથે કરી હતી વાત 
24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. 26 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીએ ઝેલેન્સકી સાથે પહેલીવાર વાત કરી હતી. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાનમાં ભાગ લીધા બાદ ઝેલેન્સકી અને મોદીની વાતચીત થઈ હતી. ઝેલેન્સકીએ આ સમયગાળા દરમિયાન ભારત પાસેથી રાજકીય સમર્થન માંગ્યું હતું.

ઝેલેન્સકીએ ટ્વીટમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી. યુક્રેન પર રશિયન આક્રમણને ભગાડવા વિશે જણાવ્યું હતું. આપણી ધરતી પર એક લાખથી વધુ આક્રમણકારો છે. તેઓ રહેણાંક મકાનને આગ લગાવી રહ્યા છે. ભારતને યુએન સુરક્ષા પરિષદમાં અમને રાજકીય સમર્થન આપવા વિનંતી કરી. સાથે જ હુમલાખોરને રોકો.

યુએન જનરલ એસેમ્બલીમાં ભારત મતદાનથી દૂર રહ્યું
રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર 2 માર્ચની રાત્રે મતદાન થયું હતું. પ્રસ્તાવની તરફેણમાં 141 અને વિરોધમાં 5 મત પડ્યા હતા. ભારત સહિત 35 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. રશિયાની તરફેણમાં મતદાન કરનારા દેશોમાં રશિયા, બેલારુસ, ઉત્તર કોરિયા, એરિટ્રિયા અને સીરિયા હતા. ભાગ ન લેનાર દેશોમાં ભારત, ચીન, પાકિસ્તાન, ઈરાક અને ઈરાનનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *