સરકારી જમીન પર બનેલી કિરણ હોસ્પીટલમાં કોરોનાની મફત સારવાર કરવામાં આવે તે માટે નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટની રજૂઆત

થોડા દિવસ અગાઉ જ સુપ્રીમ કોર્ટે એક સુનાવણીમાં કહ્યું હતું કે, કોરોનાની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલ મફત અથવા ઓછા ખર્ચે કરે કારણકે આ હોસ્પિટલો સરકારની જમીન…

થોડા દિવસ અગાઉ જ સુપ્રીમ કોર્ટે એક સુનાવણીમાં કહ્યું હતું કે, કોરોનાની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલ મફત અથવા ઓછા ખર્ચે કરે કારણકે આ હોસ્પિટલો સરકારની જમીન પર બનાવેલી છે. ત્યારે આ અનુસંધાને આજરોજ સુરતમાં સામાજિક ક્ષેત્રે કાર્યરત “નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સુરત કલેક્ટરશ્રીને આવેદન પાઠવ્યું હતું જેમાં માંગ કરવામાં આવી કે, સરકારી હોસ્પિટલોમાં બેડની સુવિધા કરતા દર્દીઓની સંખ્યા વધી રહી છે તો સરકારી જમીન પર બનેલ કિરણ હોસ્પીટલમાં સારવાર માટે દર્દીઓને મોકલવામાં આવે જેનો ખર્ચા સરકાર દ્વારા ચુકવવામાં આવે.

કોરોનાની મહામારીમાં સુરત શહેર માં સરકારી હોસ્પિટલ સિવિલ તેમજ સુરત કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા કરેલ સુવિધા કરતા વધુ પડતી હોવાથી આ બંને હોસ્પિટલોની ક્ષમતા કરતા દર્દીઓની સંખ્યા વધુ હોય ત્યારે સુરત શહેરમાં વસતા ગરીબવર્ગ અને મધ્યમવર્ગ ના લોકો માટે કોરોનાની સારવાર કરાવવી ખર્ચાળ તેમજ મુશ્કેલ બનતી જાય છે. ત્યારે સુરત શહેરમાં જ્યાં સૌથી વધુ કોરોનાનો કહેર છે એવા કતારગામ વિસ્તારને કોરોનાએ બાનમાં લીધો હોય ત્યારે “કિરણ હોસ્પિટલ” માં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને રાહતદરે સારવાર આપવામાં આવે તેમજ તેમનો તમામ ખર્ચ સરકારશ્રી દ્વારા ભોગવવામાં આવે એ હેતુથી આજ સવારે શ્રી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *