હવે ક્યારેય નહી માણી શકો પાણીપુરીનો સ્વાદ… સરકારે લગાવી દીધો પ્રતિબંધ

નેપાળની રાજધાની કાઠમંડુમાં ગોલગપ્પા એટલે કે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કાઠમંડુના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં કોલેરા ફાટી નીકળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ ભારતમાં પણ એલર્ટ છે. લલિતપુર મેટ્રોપોલિટન સિટીએ દાવો કર્યો છે કે, ગોલગપ્પામાં ઉપયોગમાં લેવાતા પાણીમાં કોલેરાના બેક્ટેરિયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થોડા દિવસોમાં કાઠમંડુમાં કોલેરાના 12 કેસ નોંધાયા છે અને આ કેસ સતત વધી રહ્યા છે. સ્થાનિક પ્રશાસને કોલેરાને રોકવા માટે અનેક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ગોલગપ્પાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સિવાય લોકોને એવી વસ્તુઓ ન ખાવાની અપીલ કરવામાં આવી છે જેનાથી કોલેરા વધી શકે. કાઠમંડુ ખીણમાં સાત નવા કેસ સાથે અત્યાર સુધીમાં કુલ 12 કેસ નોંધાયા છે. જેના કારણે સ્થાનિક પ્રશાસને વધુ કડકાઈ શરૂ કરી છે.

દરેક શહેર અને નગરની જેમ કાઠમંડુ ખીણમાં પણ ગોલગપ્પાની ઘણી દુકાનો છે. હવે ગોળગપ્પાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની સાથે સ્થાનિક વહીવટીતંત્રે ખુલ્લામાં વેચાતી અન્ય ખાદ્ય ચીજોની પ્રાથમિકતાના આધારે તપાસ શરૂ કરી છે.

કોલેરા ફાટી નીકળ્યા બાદ જ ગોલગપ્પાના પાણીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં કોલેરાના બેક્ટેરિયા મળી આવ્યા હતા. કોલેરાના કેસો અને આ રીતે કોલેરાના બેક્ટેરિયા મળી આવ્યા બાદ તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

શું છે હૈજા રોગ?
હૈજા ને કોલેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોલેરા ગંદુ પાણી પીવાથી, સડેલી કે વાસી વસ્તુઓ ખાવાથી, ખરાબ પીણાં પીવાથી, બગડેલો ખોરાક ખાવાથી અને બજારની ખુલ્લી વસ્તુઓ ખાવાથી થાય છે.

કોલેરામાં, વ્યક્તિના આંતરડામાં ચેપ લાગે છે અને ગંભીર ઝાડા શરૂ થાય છે. ઝાડાને કારણે શરીરમાં પાણીની ઉણપ અને નબળાઈ જેવી સમસ્યાઓ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *