ફરી એકવાર કમલનાથ બનશે મુખ્યમંત્રી, કેવી રીતે કોંગ્રેસ રમી રહ્યું છે રાજનીતિ. જાણો વિગતે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સીએમ કમલનાથે કહ્યું કે હું હંમેશા વિકાસમાં વિશ્વાસ કરું છું. રાજ્યના લોકો આજે પુછે…

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સીએમ કમલનાથે કહ્યું કે હું હંમેશા વિકાસમાં વિશ્વાસ કરું છું. રાજ્યના લોકો આજે પુછે છે કે કમલનાથની શું ભૂલ છે. જનતાએ મને આખા પાંચ વર્ષ બહુમતી આપી. રાજ્યને છેતરનારા નેતાઓ સાથે લોકો કદી ન્યાય કરશે નહીં. અને ત્યારે જ સીએમ કમલનાથે ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું આપ્યું હતું, કહ્યું ભાજપ દ્વારા લોકશાહીની હત્યા કરાઈ. સીએમ કમલનાથનું નિવેદન મેં આજે રાજ્યપાલને રાજીનામું આપવાનું નક્કી કર્યું છે.

આ બધાની વચ્ચે મધ્ય પ્રદેશ કોંગ્રેસે એક ટ્વીટ કરી છે. જેમાં 15 ઓગસ્ટ પહેલા ફરી કોંગ્રેસ સરકાર બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, કમલનાથ 15 ઓગસ્ટના રોજ ધ્વજારોહણ કરી પરેડને સલામી આપશે. સાથે જ મધ્ય પ્રદેશમાં તાજેતરમાં બનેલ રાજકીય કાવાદાવાને અલ્પ વિશ્રામ ગણાવ્યું છે.

અમને માત્ર 15 મહિનાઃ કમલનાથ

શુક્રવારે રાજીનામાની જાહેરાત કરતા પ્રેસ કોન્ફરન્સમાં કમલાનથે કહ્યું હતું કે, ભાજપાને 15 વર્ષ મળ્યા અને મને માત્ર 15 મહિના. અમારી સરકાર બની તો દર 15 દિવસમાં ભાજપા કહેતી હતી કે આ સરકાર 15-30 દિવસમાં ચાલી જશે. કમલનાથે તેમની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે, ભાજપાને તે પસંદ આવ્યું નહીં. અમારા ધારાસભ્યોને લાલચ આપવામાં આવી. તેમને બંધક બનાવવામાં આવ્યા અને ષડયંત્ર રચી અમારી સરકાર તોડી પાડી. જનાદેશનું અપમાન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *