ગુજરાતમાં ફરીથી ચુસ્ત લોકડાઉનના ભણકારા- તૈયારી માટે રાજ્ય સરકારે ઉઠાવ્યું આ પગલું

દેશભરમાં અનલોક બાદ જે રીતે કોરોના એ માથું ઊંચક્યું છે ત્યારથી આસામ, UP, મહારાષ્ટ્ર, બંગાળ જેવા રાજ્યોએ લોકડાઉન કર્યું છે. ગુજરાતમાં દિવસે દિવસે કેસ વધવાનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને સુરત, ભાવનગર, રાજકોટમાં કેસ આવી રહ્યા છે. અમદાવાદ માં પરિસ્થિતિ સામાન્ય થવા તરફ જી રહી છે.

આ વચ્ચે રાજ્યમાં ફરી એક વાર લોક ડાઉન અમલ કરવામાં આવવાની શક્યતા સેવાઈ રહી છે. રાજ્ય સરકારે મુખ્ય સચિવને કલેકટર સાથે પરામર્શ કરવાની સૂચના આપી હોવાની વાત સામે આવી છે. રાજ્ય સરકારે આગામી બુધવારે કેબિનેટ મિટિંગ પહેલાં મુખ્ય સચિવને રિપોર્ટ આપવાની સૂચના આપી હોવાની પણ માહિતી મળી રહી છે. આગામી 30 જુલાઈ સુધી લોક ડાઉન કરવાની સંભાવના, આવતા અઠવાડિયામાં લોક ડાઉન જાહેર થાય તેવી સંભાવના સેવાઈ રહી છે.

અમ રાજ્યમાં ફરી લોકડાઉન મુદ્દે રાજ્ય સરકારની ગંભીર વિચારણા થયા બાદ મુખ્ય સચિવે આજે 19 કલેક્ટર સાથે આ મામલે બેઠકમાં ચર્ચા કરી છે અને શું કરવું જોઇએ એ અંગે મુખ્ય સચિવ આગામી કેબિનેટમાં પોતાનો રિપોર્ટ મુકશે. અને ત્યારબાદ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે, શક્યતા છે કે સુરત, ભાવનગરમ અમદાવાદ, રાજકોટ જેવા અસરગ્રસ્ત શહેરોના અમુક વિસ્તારો માં લોકડાઉન કરવામાં આવશે.

બુધવારે સવારે કેબિનેટની બેઠક મળશે, પરંતુ ચર્ચા પછી પણ હાલના તબક્કે ચીફ સેક્રેટરીના જણાવ્યા મુજબ lockdown જેવો કોઈ નિર્ણય લેવામાં નહીં જ આવે, લોકડાઉન બાબતે સ્પષ્ટ ના પાડે છે.

ઉત્તરપ્રદેશમાં પણ ૧૩ તારીખ સુધી લોકડાઉન છે જયારે મહારાષ્ટ્રમાં 31 જુલાઈ સુધી લોકડાઉન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *