ભગવાન સમાન ગણાતા ડોકટરે જ દોઢ વર્ષીય માસુમનો લીધો જીવ! એનેસ્થેસિયાના ઓવરડોઝ આપી દેતા કરુણ મોત

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): ગ્રેટર નોઈડા (Greater Noida)ની જાણીતી હોસ્પિટલમાં બાળકીના મોતનો મામલો હાલ જોર પકડી રહ્યો છે. હવે બાળકીના પિતાએ હોસ્પિટલ વિરુદ્ધ બેટા-2 પોલીસ સ્ટેશનમાં…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): ગ્રેટર નોઈડા (Greater Noida)ની જાણીતી હોસ્પિટલમાં બાળકીના મોતનો મામલો હાલ જોર પકડી રહ્યો છે. હવે બાળકીના પિતાએ હોસ્પિટલ વિરુદ્ધ બેટા-2 પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. પિતાનો આરોપ છે કે બાળકનું મોત એનેસ્થેસિયા (Anesthesia)ના ઓવરડોઝ (Overdose)ને કારણે થયું છે. હાલ આ અંગે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, બીટા-2 પોલીસ સ્ટેશન વિસ્તારની AWHO હાઉસિંગ સોસાયટીમાં રહેતા સતેન્દ્ર યાદવ એક IT કંપનીમાં નોકરી કરે છે. તેમની દોઢ વર્ષની પુત્રીને ઘરમાં રમતી વખતે તેના નાક પર ઈજા થઈ હતી.

જેને પગલે પિતાએ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી. ત્યારે બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પરિજનોનો આરોપ છે કે હોસ્પિટલમાં એનેસ્થેસિયાના ઓવરડોઝને કારણે બાળકીનું મોત થયું હતું.

ડોક્ટરે કહ્યું કે પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે:
સતેન્દ્રએ જણાવ્યું કે, “દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડૉક્ટરે કહ્યું કે ડાઘ રિપેર કરવા માટે પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. તે પછી ડૉક્ટર દીકરીને સર્જરી રૂમમાં લઈ ગયા. સર્જરી પછી તેમણે દીકરીને જોઈ, તેથી તે બેભાન હતી. લાંબા સમય સુધી ભાનમાં ન આવતાં ડોક્ટરોએ પુત્રીને ફરીથી ICUમાં શિફ્ટ કરી.

બાદમાં કહ્યું- છોકરીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું:
બાળકીના પિતાએ વધુમાં જણાવ્યું કે, “આ પછી ડોક્ટરે કહ્યું કે બાળકીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. બીજી તરફ, હોસ્પિટલના જાણકાર લોકોએ અમને જણાવ્યું કે, બાળકીનું મૃત્યુ દરમિયાન એનેસ્થેસિયાના હેવી ડોઝને કારણે થયું હતું.”

આ કેસમાં ગ્રેટર નોઈડાના ડીસીપી અભિષેક વર્માએ કહ્યું, “સત્યેન્દ્ર યાદવની ફરિયાદ પર ગ્રેટર નોઈડાની એક જાણીતી હોસ્પિટલ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પિતાનો આરોપ છે કે સારવાર દરમિયાન બેદરકારીના કારણે તેમની પુત્રીનું મોત થયું છે. હાલમાં, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ દરમિયાન મળેલા પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *