પાકિસ્તાને ભારતીય સેનાના જવાનો અને ડોક્ટરોને લઈને જતા વિમાન સાથે કર્યો અટકચાળો- જાણો વિગતવાર

Turkey Syria Earthquake: વિનાશકારી ભૂકંપે તુર્કી અને સીરિયામાં ભારે તબાહી મચાવી છે અને આ તબાહીને કારણે અનેક લોકોના દર્દના મોત થયા છે ત્યારે આ બધાની વચ્ચે ભારતે તુર્કીને મદદ(Help India Turkey) કરવા માટે એનડીઆરએફની ટીમ ભારતથી રવાના કરી છે. જો વાત કરવામાં આવે તો તેની સાથે હવાઈ દળ ની હરતી ફરતી 30 બેડ ની હોસ્પિટલ પણ સંપૂર્ણ સાધન સામગ્રી સાથે મોકલી આપી છે. તેની સાથે સાથે ભારત તુર્કી ખાતે હવાઈદળની અન્ય બે ટુકડીઓ પણ મદદ માટે મોકલી આપવાનું છે.

મહત્વનું છે કે આટલી વિપરીત પરિસ્થિતિમાં પણ પાકિસ્તાને આડોડાઈ કરવાનું છોડ્યું નથી. ભારતના તુર્કી જઈ રહેલા વિમાન માટે પાકિસ્તાને તેની એર સ્પેસ ખોલવાનો ઇનકાર કરી દીધો હતો. અને તેના લીધે અત્યંત કટોકટી વાળી પળોમાં જ્યાં એક એક માનવ જિંદગીઓની મિનિટો ગણાતી હોય છે ત્યારે આ સમય દરમિયાન મદદ માટેનું ભારતીય વિમાન મોડું તુર્કી પહોંચ્યું હતું. મહત્વનું છે કે પાકિસ્તાનની આ હરકત ભારત તો ઠીક તુર્કી પણ હંમેશા માટે યાદ રાખશે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ભૂકંપ ગ્રસ્ત તુર્કીમાં મદદ માટે એનડીઆરએફ આર્મીની મેડિકલ ટીમ અને મેડિકલ સાધનો મોકલ્યા છે. ભારતના આ પગલા બાદ તુર્કીની પ્રતિક્રિયા સામે આવી છે. ભારતમાં તુર્કીના રાજદૂત એ કહ્યું કે, ભૂકંપના થોડા કલાકોમાં ભારત દ્વારા તુર્કીને કરવામાં આવેલી મદદની અમે ખરેખર પ્રશંસા કરીએ છીએ. હું કહીશ કે જે મિત્ર જરૂરિયાતમાં ઉપયોગી થાય તે જ સાચો મિત્ર છે. સાચો મિત્ર જ એકબીજાને મદદ કરે છે.

જણાવી દઈએ કે આજે ભારતે તુર્કીની મદદ માટે વધુ બે C-17 મોકલ્યા છે અને બે વધુ મોકલવાની યોજના બનાવી છે. ભારતમાં તુર્કીના રાજદૂતે કહ્યું, ગઈકાલે ભારતે તુર્કીમાં રાહત અને બચાવ ટીમો અને સાધનો મોકલ્યા હતા.આ વિમાન સવારે અદાના પહોંચ્યું હતું.

તમને જણાવી દઈએ કે ભૂકંપથી પ્રભાવિત તુર્કીમાં મદદ કરવાના ભારત સરકારના નિર્ણય હેઠળ ભારતીય સેનાએ મંગળવારે તુર્કીના લોકોને તબીબી સહાય આપવા માટે ડૉક્ટરોની એક ટીમ મોકલી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આગ્રા સ્થિત આર્મી ફિલ્ડ હોસ્પિટલે 89 સભ્યોની મેડિકલ ટીમ મોકલી છે. તબીબી ટીમમાં અન્ય લોકોમાં સઘન સંભાળ નિષ્ણાતો પણ છે.

મહત્વનું છે કે, આ ટુકડીમાં ઓર્થોપેડિક સર્જરી ટીમો, વિશિષ્ટ જનરલ સર્જરી ટીમો અને તબીબી નિષ્ણાત ટીમોનો સમાવેશ થાય છે. ટીમ એક્સ-રે મશીનો, વેન્ટિલેટર, ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, હૃદયના ધબકારા માપવા માટે કાર્ડિયાક મોનિટર અને સંબંધિત સાધનોથી સજ્જ છે, જે 30 બેડની મેડિકલ હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *