મોટી વિમાન દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં પડ્યું પ્લેન, 98 લોકો હતા સવાર

પાકિસ્તાનમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે.લાહોરથી કરાચી શહેર જઈ રહેલી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની એક ફ્લાઇટ દુર્ઘટનાનો શિકાર થઈ. પાકિસ્તાની મીડિયા અનુસાર વિમાન કરાચી એરપોર્ટ…

પાકિસ્તાનમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે.લાહોરથી કરાચી શહેર જઈ રહેલી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની એક ફ્લાઇટ દુર્ઘટનાનો શિકાર થઈ. પાકિસ્તાની મીડિયા અનુસાર વિમાન કરાચી એરપોર્ટ ની પાસે રહેણાંક વિસ્તારમાં પડ્યું. વિમાન પડવાના કારણે ઘણાં મકાનો માં આગ લાગી ગઈ. આ દુર્ઘટના કરાચીમાં લેન્ડિંગ ના થોડા સમય પહેલા થઇ.

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સના પ્રવક્તા અબ્દુલ સતારએ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. ફ્લાઈટ 98 યાત્રીઓને લઈને જઈ રહી હતી.વિમાન લાહોરથી કરાંચી જઈ રહ્યું હતું અને માલીરમાં મોડલ કોલોની પાસે જીન્ના ગાર્ડન વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. દૂર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં દુર ઘટના સ્થળથી ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાઇ રહ્યા હતા.પાકિસ્તાની મીડિયા અનુસાર વિમાનના ઉતારવાના એક મિનિટ પહેલા તેનો સંપર્ક તૂટી ગયો હતો.

પ્રારંભિક જાણકારી અનુસાર વિમાનમાં 98 યાત્રિકો સવાર હતા. જેમાં 85 અને ૬ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. પાકિસ્તાની સેનાના જવાનો દુરઘટના સ્થળ પર પહોંચી ગયા છે. તેઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *