સુરતમાં પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે પાંગર્યો પ્રેમ સબંધ, પરિવારને જાણ થતા ખેલાયા ખરાખરીના ખેલ

હાલમાં સુરત શહેરના સચિન જીઆઈડીસીની શિવાંજલી સોસાયટીમાં પ્રેમી પંખીડાઓએ હૂકમાં દુપટ્ટાથી ફાંસો ખાઈ લીધો હતો. પિતરાઈ ભાઈ-બહેન પ્રેમમાં પડ્યાં બાદ લગ્ન માટે રૂપિયા ભેગા થાય ત્યારબાદ લગ્ન કરાવવાની પરિવારે વાત કરતાં આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. પિતરાઈ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ બાદ બન્નેએ આત્મહત્યા કરી કરી દેતાં ચર્ચાનો વિષય બન્યો છે. સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતક યુવક જરી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો
ઇન્દર નિશાદએ જણાવ્યું હતું કે, સંતરામ રામસેવક નિશાદ જે નેમારામની ચાલ શિવાંજલી સોસાયટી સચિનમાં રહે છે. તે ચાર ભાઈઓમાં ત્રીજા નંબરનો ભાઈ હતો. તેઓ મૂળ યુપીના રહેવાસી છે. સંતરામ સચિન જીઆઈડીસીમાં જરી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. બધા ભાઈ સહિત 6 જણા એક જ રૂમમાં એટલે કે, રૂમ નંબર 13માં જ રહેતા હતા.

એક હૂક સાથે દુપટ્ટો અને કપડું બાંધી લટકતી હાલતમાં જોયાં
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સવારે કામ પર ગયા બાદ સાંજે સાત વાગે રૂમ પર પરત આવ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો. અંદર પ્રવેશ કરતાં બન્ને એક હૂક સાથે દુપટ્ટો અને કપડું બાંધી લટકતી હાલતમાં જોયા અને ડરી ગયા તેથી બહાર દોડી આવી ગયો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે આવેલી પોલીસે પેપરવર્ક કરી બન્નેના મોબાઈલ જપ્ત કર્યા હતા. ઇન્દરે જણાવ્યું હતું કે, બન્ને લગભગ 4-5 મહિનાથી એકબીજાને ઓળખે છે અને પ્રેમ સંબંધમાં છે.

આપઘાત પાછળનું અન્ય કોઈ કારણ જાણી શકાયું નથી
તેમણે કહ્યું હતું કે, લગ્ન કરાવી આપવા સંતરામ 2-3 દિવસ પહેલાં જીદ કરતો હતો. જોકે, પૈસા ભેગા થાય એટલે લગ્ન કરાવી દઈશ, એમ કહ્યું હતું. તેમ છતાં બન્નેએ આત્મહત્યા કરી લીધી હતી. હાલ આપઘાત પાછળનું અન્ય કોઈ કારણ જાણવા મળ્યું નથી.

મૃતકો મામા-ફૂઈનાં ભાઈ-બહેન
ગંગા ચરણે કહ્યું હતું કે, અક્ષય પટેલની ચાલ શિવાંજલી સોસાયટી સચિન જીઆઈડીસીમાં રહીએ છીએ. ઘટનાસ્થળેથી  ફક્ત 150 ફૂટ દૂર કહી શકાય. હું યુપીનો રહેવાસી છુ અને ટીએફઓ ઓપરેટર તરીકે કામ કરીને એકની એક દીકરી અને એકના એક દીકરાનું ગુજરાન ચલાવું છું. દીકરી સાથે આત્મહત્યા કરનાર મૃતક સંતરામ મારો ભાણિયો થાય છે.

મૃતક પૂનમ દોઢ મહિના પહેલાં જ સુરત આવી હતી
બન્નેના પ્રેમ સંબંધની જાણ થયા બાદ હું વતન જઈ બહેનને હાથ-પગ જોડી બન્નેના લગ્નની વાત કરવાનો જ હતો. પરંતુ બન્નેની ધીરજ ખૂટી ગઈ અને આત્મહત્યા કરી હોવાથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. દીકરી પૂનમ દોઢ મહિના પહેલાં જ પહેલીવાર સુરત આવી હતી. બન્ને એકબીજાને વતનમાં રહેતા હતા ત્યારથી જ ઓળખતાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *