‘મેડ ઈન ચાઈના’ પ્લેન એ સેંકડો પાકિસ્તાનીઓનો જીવ લીધો, PM એ ટ્વીટ કરી કહ્યું કે…

આજે પાકિસ્તાનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. લાહોરથી કરાંચી જઈ રહેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ દુર્ઘટનાનો શિકાર થઈ છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે આ…

આજે પાકિસ્તાનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. લાહોરથી કરાંચી જઈ રહેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ દુર્ઘટનાનો શિકાર થઈ છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના કરાંચી એરપોર્ટની પાસે બની છે. આ વિમાનમાં 98 જેટલા મુસાફરો સવાર હતા. હાલ આ બાબતે કોઈ જાણકારી નથી આવી કે આખરે આ વિમાન ક્રેશ કઈ રીતે થયું. જોકે સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર પ્લેનનું લેન્ડિંગ ગિયર ઓપન ન થઈ શક્યું અને તેના કારણે આ દુર્ગટના ઘટી હતી.

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝની જાણકારી મુજબ કરાચીમાં ક્રેશ થયેલુ પ્લેન ચીની કંપની પાસેથી લીઝ પર લેવામાં આવ્યું હતું. જેમાં 98 લોકો સવાર હતા જેમાંથી 91 યાત્રીકો હતા અને 7 ક્રૂ મેમ્બર્સ હતા. આ પ્લેનને લેન્ડિંગ વખતે ગિયર ઓપન કરવામાં કોઈ ટેક્નિકલ મુશ્કેલી આવી જેના કારણે તે રહેણાક વિસ્તારમાં જઈને પડ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડી રહ્યા છે અને લોકો તેને ઘરની છત પર જઈને જોઈ રહ્યા છે.

પ્રધાન મંત્રી મોદીએ પણ આ ઘટના બાદ ટ્વીટ માં કહ્યું કે, પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનીથી ઘેરા શોક. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલ થયેલા લોકોની ઝડપથી પુન .પ્રાપ્તીની ઇચ્છા રાખીએ છીએ.

પાકિસ્તાનના કરાચી શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન લાહોરથી કરાચી પહોંચ્યું હતુ. પરંતુ કરાચીના એરપોર્ટ પર લેન્ડ થાય તેના ચાર કિલોમીટર પહેલા જ વિમાન તૂટીને મલિર વિસ્તારની મોડેલ કોલોની નામના રહેણાંક વિસ્તાર પર પડ્યું. વિમાન દુર્ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ જેટની એરબસ એ-320 નામની ફલાઇટમાં 98 જેટલા લોકો સવાર હતા.

દુર્ઘટના બની તે રહેણાંક વિસ્તારમાં ઘણા મકાનો પણ દુર્ઘટનાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે. સીએએના સૂત્રો પ્રમાણે લેન્ડિંગ થવાની અમુક મિનિટ પહેલા જ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ વિમાનમાં 85 પ્રવાસીઓ ઇકોનોમી કલાસમાં અને છ પ્રવાસીઓ બિઝનેસ કલાસમાં મુસાફરી કરી રહ્યા હતા. દુર્ઘટના બાદ પાકિસ્તાની સેનાની ક્વિક રીએકશન ફોર્સ, પાકિસ્તાન રેન્જર્સ સિંધ ટ્રૂપ્સ, કરાચી પોલીસ અને ફાયર બ્રિગનેડની ટીમો તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કાર્ય આરંભી દીધુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *