વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને હળવદના કાલોલમાં આધેડે ઝેરી દવા પી મોતને કર્યું વ્હાલું

હળવદ(ગુજરાત): વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આધેડ આપઘાતનો પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. હળવદના કલોલ ખાતે આધેડે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેને હળવદ લાવવામાં આવ્યાં…

હળવદ(ગુજરાત): વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આધેડ આપઘાતનો પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. હળવદના કલોલ ખાતે આધેડે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેને હળવદ લાવવામાં આવ્યાં હતા. ત્યાં તેઓનું મોત નીપજ્યું હતું. તે દરમિયાન તેમના પરિવારજનોએ વ્યાજખોરોના ત્રાસના કારણે તેઓએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ જ્યાં સુધી વ્યાજખોરોની ધરપકડ કરવામાં નહિં આવે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની નાં પાડી દીધી છે.

મળતી માહિતી અનુસાર, છેલ્લા 12 મહિનાથી હળવદના રઘુનંદન સોસાયટીમાં રહેતા પ્રતીકકુમાર બાબુભાઈ લુહાર ફેબ્રીકેશનનું કામ કરે છે. તેઓએ તેમના સગા બનેવી સહિતના અન્ય વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. આને કારણે તેઓ અવારનવાર શારિરીક માનસિક ત્રાસ પ્રતીકકુમાર આપતા હતા.

છેલ્લા એક મહિનાથી પ્રિતકભાઈ કલોલ જઈ રહ્યા હતા. તે દરમિયાન પણ વ્યાજખોરોનો ત્રાસ ચાલુ રહેતા બુધવારે સાંજના છ વાગ્યાની આસપાસ પ્રતીકભાઈએ કલોલ વર્કશોપ બ્રિજની બાજુમાં ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમના સગા તેને હળવદ તેમના મોટાભાઈ બકાભાઈના ઘરે લઈ આવ્યાં હતા. જ્યાં તેમના સગાએ તેમને હોસ્પિટલ લઇ જવાની નાં પડી હતી. તેમની વધારે તબિયત ખરાબ થતા તેમને હળવદની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા.

મૃતકના પત્ની આશાબેને આ અંગે કહ્યું હતું કે, મારા પતિએ વ્યાજ ખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે. મારા પતિને વ્યાજખોરો અવારનવાર ધાક ધમકીઓ અને માનસિક-શારીરિક ત્રાસ આપતા હતા. જ્યાં સુધી આ વ્યાજખોરો વિરુધ કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે હળવદ સરકારી હોસ્પિટલમાંથી મારા પતિની લાશ લઈશું નહીં. આ ઘટનાની જાણ થતા હળવદ બીટજમાદાર ભરતભાઈ આલ સહિતનો સ્ટાફ સરકારી હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. ત્યારબાદ તપાસના ચક્રો ગતિમાન કરી વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *